________________
૪૮૨ ]
{ આપણું શ્રેષ્ઠીવર્યો પૂજ્ય બાને સૌથી મટે ગુણ તેમના નામ મુજબ સંતેષને છે. આટ-આટલાં દાન આપે છે પણ નામને કદી મેહ નહિ. સદાય સંતોષ છે. તેમના પવિત્ર સ્વભાવનો આગળ તરી આવતે. ગુણ છે. બા કહે છે, “મારે કીતિ નથી જોઈતી. મારા મનના સંતેષ ખાતર હું દાન કરું છું. ઈશ્વરે આપેલું છે અને ઈશ્વરના કામમાં વાપરું છું અને આથી અપાર આનંદ થાય છે. મારું રોમેરેામ એક સાત્વિક સંતેષથી છલકાઈ જાય છે.”
પૂજ્ય બાનું જીવન આજે આપણી વચ્ચે પ્રાપ્ત એક ઉજજવળ જીવન-દષ્ટાંત છે. એમના જીવનમાંથી આપણે જેટલું શીખીએ તેટલું ઓછું છે. પૂજ્ય બાપુજી સૂરજ સમાન તેજસ્વી હતા તો પૂ. બા સાત્વિક શીળા પ્રકાશથી એપતી પૂનમની ચાંદની જેવાં છે. આર્ય કન્યા ગુરુકુલ અને ગુરુકુલ મહિલા કેલેજના સરોવરમાં પૂ. બાના પ્રકાશથી પ્રકુલ્લિત–પિયણ જેવી અનેક કન્યાઓ આજે પિતાની જીવનસુવાસ પ્રાપ્ત કરી રહેલ છે. પ્રત્યેક કાર્યને કલા અને પ્રત્યેક ઘટનાને ઉત્સવ માનવાની એમની શક્તિએ અમ સહુનાં “બહાલસયાં બા” બનાવી દીધાં છે. પૂ. બા સાચા અર્થમાં આપણી કુલમાતા છે. “શ્યામ તુલસી શાં” પવિત્ર અને સહુને ઔષધરૂપ બનતાં એવાં પૂ. બાને પામીને આપણે સહુ ભાગ્યશાળી બન્યાં છીએ. પ્રભુ એમને શતાયુ અ.
શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહેલા શ્રી હરિહર ભાઈ મણિભાઈ પટેલ કેઈ અગમ્ય શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, હિંમત અને હૈયા ઉકલત વડે સ્વજનથી દૂર ગોંદિયા શહેરમાં વર્ષો પહેલાં જઈને ત્યાંની પ્રજા વચ્ચે અનેક કષ્ટ સહન કરીને વસ્યા અને તેમનું તપ ફળ્યું.
માનવજીવનના ઘેર અંધકારમાં સેવાભાવનાની ત જલતી રાખનારા જ્યોતિર્ધરથી જ માનવજાત ઉજજવળ છે. ઘરદીવડા જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org