________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૮૧ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ગઢવીએ પૂજ્ય બને પિતાની વાત કરી. પૂજ્ય બાએ એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તમે લગ્ન લે; હું દીકરીનું બધું જ કરિયાવર કરીશ. મંગલસૂત્રથી માંડી બધી જ નાનીમેટરી ચીજવસ્તુઓ પૂ. બાએ કરાવી આપી.
રિબંદરના મિલ મજૂરોએ ફંડ ભેગું કરી કડિયા પ્લેટમાં એક શિવમંદિરની શરૂઆત કરી. ભંડોળ ખૂટ્યું અને મંદિરનું કામ અટકી પડયું. બધાં પૂ. બા પાસે આવ્યાં અને મદદની માગણી કરી. તુરત પૂ. બાએ ૨૫ સિમેન્ટની થેલી પિતે આપી અને અધૂ રું કામ પિતે પૂરું કરાવી મંદિર પૂરું કરાવ્યું.
જ્યુબિલીમાં શિવજીનાં મંદિરમાં નગારાં ફરી ગયાં હોય તે પૂજારીના કહેવાથી પોરબંદર લાવી ચામડાં મઢાવી જે તે મંદિરમાં મોકલી અપાયાં છે. “ચાંદા” નામનું એક નાનકડું સરખું ગામડું છે. ત્યાંના મંદિરના પૂજારીએ નગારા ફાટી ગયાની ફરિયાદ કરી. હમણાં જ થોડા સમય પહેલાં બાએ મહારાણુ મિસમાં કામ કરતા ભાઈશ્રી પાતાભાઈ દ્વારા કરાવી આપ્યાં. પૂ. બા દર મહિને દાન-પુણ્ય પાછળ લગભગ રૂા. ૧૦૦૦ને ખર્ચો કરે છે.
આર્ય જાતિને ઈતિહાસ કહે છે કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમની ત્રણ વિશિષ્ટતા હતી : અંગ ઉપર પીળાં વસ્ત્ર, હાથમાં તુલસીજીનું કુંડું અને આગળ ગાય. ગાય આપણા દેશનું સૌથી પવિત્ર પશુ મનાય છે. એની ભક્તિ આખા ભારતવર્ષમાં શ્રેષ્ઠ કહેવાયેલી છે. આર્ય સન્નારીના લગભગ બધા ગુણો ધરાવતાં પૂજ્ય બાને સૌથી પ્રિયમાં પ્રિય કાર્ય ગાયની સેવા કરવાનું છે. તેમણે પિતાના દાનને પ્રવાહ પણ ગાયે માટે વિશેષ વહેવડાવ્યો. આજે પણ રેજ સવારે તેમને એક અફર નિયમ છે કે કઈ શિવમંદિરે જવું અને ગાયને લીલું ઘાસ નાંખવું. કેટલાય ગેવાળાને એમણે ગાયે માટે ગમાણ બંધાવી દીધી છે અને નિયમિત લીલું ઘાસ મળતું રહે તેવી વ્યવસ્થા કરી છે. છે. ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org