SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો કરે અને તે દ્વારા સાચું સુખ અને શાંતિ પામે. (૨) ૧૯૬૪: ૬-૭-૧૯૬૩ ગુરુપૂર્ણિમા વિદ્યાર્થી જીવન ઉત્તમ જીવન છે. ધ્યાનપૂર્વક ભણવાથી જેમ પરીક્ષામાં સારા માર્કસ મેળવી શકાય છે તેમ સદ્વ્યવહાર અને સદાચારનું પાલન જીવનની પરીક્ષામાં સારા માર્કસ આણે છે. (૩) ૧૯૭૭: વસંતપંચમી કહેવાય છે કે શિખામણ ઝાંપા સુધી હોય છે, દેતી સમાડા સુધી હોય છે, શરમ આંખ સુધી હોય છે. ઉપદેશ કાન સુધી જ હોય છે, વિચારે મન સુધી હોય છે, જેના વિચાર મૃગજળ જેવા હોય છે તેઓ ક્યારેય પિતાની જાતને સુધારી શકતા નથી. (૪) ૧૯ માર્ચ : વિદાય સભા ગુરુકુળને તમારી પોતાની માતૃભૂમિ લેખજે. તમે જે સંસ્કાર લીધા હોય તે દીપાવજે. સંસ્કાર તે માનવને ધર્મ છે. જ્ઞાન તે આપણું શરીરને દીપક છે. તેને સદા જલતે રાખજે. ખૂબ સેવા કરજો. સેવા ફૂલની સુવાસ છે, અગરબત્તીની સુગંધ છે. ફ્લ ધરતીમાંથી સુગંધ લઈને આપે છે, કારણ કે તેમાં માતાનું અમૃતસિચન છે. મા કેટલી પ્રેમાળ અને ગુણકારી છે તેનું વર્ણન ન થઈ શકે. આમ પૂજ્ય બા શ્રી ને સરસ્વતીનું મિલન છે. અણિમામાં ગરિમા અને ગરિમામાં અણિમા એ પૂજ્ય બાનું સાત્ત્વિક સ્વરૂપ છે. પૂજ્ય બાપુજીએ કરેડાનાં દાન દીધાં છે તેમ પૂજ્ય બાએ પણ પિતાની વિશિષ્ટ રીતે દાન દીધાં છે. સ્ત્રીસહજ સંત-સ્વભાવ. પૂ. બા જે દાન કરે છે તે ક્રીય જાહેર કરતાં નથી અને તેમનાં દાન પણ ખાસ કરીને દુઃખિયારી સ્ત્રીઓ માટે વિશેષ હોય છે. પૂ બા કેવી રીતે દાન કરે છે તેના અમુક દાખલા શ્રી ગંગાબેન થાનકી દ્વારા સાંભળવા મળ્યા છે, તે આ પ્રમાણે છે. (અ) એક ગઢવીની દીકરી પરણવાની હતી. ગઢવીની સાધારણ સ્થિતિ. દીકરીનું કરિયાવર ઠીક ઠીક થાય તે જ લગન લેવાય એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy