________________
૪૭૮ ]
માની પણુ અસીમ કૃપા એમના ઉપર છે. બા જેમ કેઈ દિવસ ઉલેચાય નિહ તેમ તેમ શબ્દોમાં થઈ શકે તેમ નથી.
[ આપણા શ્રેષ્ઠીવર્યાં કહે છે કે, દિરયા જે માની કૃપાનું વર્ણન
,,
પૂ. બા ખૂબ જ સરળહૃદયા અને ભાવુક છે. એમણે લગભગ ૧૦૦ ભુજને રચ્યાં છે. “ ભજન-સંગ્રહ નામની પુસ્તિકા “ સતાષી ”ના નામથી પ્રગટ થયેલી છે. એમનાં ભજનામાં શબ્દોને આડંબર નથી; માત્ર એક ભક્તની ભગવાન પ્રત્યેની કાલીઘેલી પ્રેમાળ આ વાણી છે. એ ભજનાની પાછળ અનેલા પ્રસંગ સુંદર છે.
સાસરે ગયા પછી સંતોકબાનાં દેરાણી અને જેઠાણી રાજ સુંદર ભજન ગાય. સ તાકબાને ગાવા કહે પણ તે વખતે સ ંતાકખાને એકપણ ભજન ન આવડે એટલે પોતે ભજને ન ગાય. એક દિવસ બધાંએ ખૂબ આગ્રહ કર્યા તે પૂ. આ બેલ્યાં કે જે દિવસે હુ જાતે ભજન રચીશ તે દિવસે ગાઈશ. હવે ચાર ચાપડી ભણનારી એન કેવાંક ભજના બનાવે ? પણ પૂ. બાએ તો નિશ્ચય કર્યાં હતા કે ભજના ગાવાં તે પેાતાનાં રચેલાં. એમણે તેા મનેામન હરસિદ્ધ માતાનુ' સ્મરણ કર્યું. અને માની પાસે કાગળ અને પેન્સિલ મૂકી દીધાં અને કહ્યું કે હે મા! તું મને સુઝશે તેમ લખીશ. અને માની કૃપા થઈ. એમને ભજના સ્ફુર્યાં અને લખાયાં. એમની લખેલી બીજી પુસ્તિકાનું નામ છે “ ભગવતી મહેર ”. પૂજ્ય બાને દેશી ઔષધિ વિશે ઘણુ ઊંડું જ્ઞાન છે, ગુરુકુળમાં જ્યારે આવે અને કેઈની પણ બીમારીનું નામ પડે અને એમને ખબર પડે કે તુરત પોતે દેશી દવાઓ બતાવે. પૂ. બાની દવાથી ઘણી બહેનોને સાજી થતાં મેં જોઈ છે.
પૂ. બાને ત્યાં રાજ છાશ લેવા ગરીબ લોકો આવે છે. એમાં ચામાસામાં મેલેરિયાને! ઉપદ્રવ ખૂબ હોય ત્યારે પાતે અનેક દેશી એસિડિયાંના ઉકાળા અનાવડાવેછે અને છાશની બાજુમાં જ ઉકાળા રાખે, જે છાશ લેવા આવે તેમને ફરજિયાત પહેલાં એક કપ ઉકાળા પીવાના અને પછી છાશ લઇ જવાની. એમની આવી મૂક સેવાની બહુ એછાંને ખખર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org