________________
અભિવાદનગ્રંથ ].
[ ૪૭૭ હું ભારત આવીશ. તને નહિ ગમતું હોય તે પછી તેડી જઈશ, પણ હમણાં તું ભણવા જા. એક વર્ષ પછી બા વડેદરા ગયાં, પણ દીદીને ગમી ગયું હતું. ત્યાં તેઓ નાતિકા થયાં. દીદી મેટ્રિક થયા પછી બાપુજીની ઈચ્છા દીદીને ઉઠાડી લેવાની હતી. બાપુજી વારંવાર કાગળ લખાવે. બે આખો કાગળ બાપુજીની ઈચ્છા મુજબ લખે પણ પેસ્ટ કરતી વખતે છેલ્લી લીટી બા ચુપકેથી ઉમેરતાં કે આ બધું તારા બાપુજીના કહેવાથી લખ્યું છે – બાકી તારી જ્યાં સુધી ભણવાની ઈચ્છા હોય ત્યાં સુધી ભણજે. મારે તને પૂરતો સાથે છે. આમ દીદીને સ્નાતિકા સુધી ભણાવવામાં બાને ઘણે મેટે ફાળે છે. દીદીને નૃત્ય શિખવાડવા માટે બાએ પૂરત સાથે આપી બાપુજીની નારાજી વહેરી લીધી હતી. આમ સંતાનોની પ્રવૃત્તિઓમાં બાએ ઘણે રસ લીધે. બાપુજીનું ધ્યાન વધારે વેપારમાં જ રહેતું. આમ બાએ પિતાનાં સંતાનને હૈયાનાં હીર ધવરાવીને મેટાં કર્યા અને સંસ્કારી બનાવ્યાં.
નાનપણથી જ બામાં ધર્મશ્રદ્ધા ખૂબ હતી. કુટુમ્બમાં પળાતે વૈષ્ણવ ધર્મ બાને ઘણે પ્રિય હતે. સાસરિયાને ધર્મ પણ વૈષ્ણવ એટલે શ્રીનાથજી અને યમુનાજીના ઉપર અનન્ય શ્રદ્ધા હતી. સામાન્ય રીતે વૈષ્ણવ શ્રીકૃષ્ણ સિવાય અન્યને માનતા નથી, પરંતુ બાના જીવનમાં એક વિશિષ્ટ પ્રસંગ બને. શ્રી ધીરુભાઈના જન્મ વખતે પૂજ્ય બાની તબિયત લથડતી ચાલી. આફ્રિકામાં રહેતાં એક બેને બાને કહ્યું કે તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો અને માના નામના દીવા માને. અંબામાની બાધા રાખવાનું કહ્યું કે અંબામાની બાધા તો નહિ રખાય. એમનાં દર્શને જવું પડે અને એ એટલું શક્ય નહતું તેથી કેઈનું પણ નામ લીધા વિના બાએ માતાજીના નામના દીવા માન્યા અને બાની તબિયત સુધરી ગઈ. અને આમ માતાજી ઉપર શ્રદ્ધા વધતી ગઈ. ભારતમાં આવી એકવાર હરસિદ્ધિ માતાના દર્શને મિયાણી ગયાં અને ત્યાં મૂર્તિમાં અલૌકિક પ્રકાશનાં દર્શન થયાં તે વખતથી આજ દિવસ સુધી બે હરસિદ્ધિ માતાના સાચા અર્થમાં પુત્રી બની, એમની અનન્ય ભક્તિ કરી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org