________________
૪૩૬ ]
|| આપણા શ્રેષ્ઠીવર્યો ભાવના બાના જીવનમાં સ્વભાવથી જ વણાઈ ગયેલી હતી. પિતાના સહનશીલ સ્વભાવથી બાએ પૂજ્ય બાપુજી (નાનજી શેઠ)નું ઘર જ નહિ, તેમનું નામ પણ દીપાવ્યું છે. કુટુંબ હેય ત્યાં નાનામોટા ઘણુ કલેશો પણ હોય છે. ઘરના વ્યવહારમાં ઘણાં દુઃખ પણ આવે. પૂ. બાપુજીએ ગુરુકુળ અને ગુરુકુળમાં ભણતી દીકરીઓની સંભાળ પાછળ ઘર અને ઘરની વ્યક્તિઓની ઘણી ઉપેક્ષા કરેલી પણ એ ઉપેક્ષાની બાએ કરી ફરિયાદ નથી કરી. સદા હસતાં રહ્યાં અને બાપુજીના દરેક કાર્યમાં સહયોગ આપતાં રહ્યાં. બધાં દુઃખ-વિષાદના કડવા ઝેરના ઘૂંટ શંકરની જેમ પચાવી ગયાં. જીવનમાં વિષના ઘૂંટ પીઈને તેનું અમૃતમાં રૂપાંતર બાએ કરી જાણ્યું છે.
પૂ બાને ચાર બાળક—બે દીકરીઓ અને બે દીકરાઓ–શ્રી સવિતાબહેન, શ્રી ધીરેન્દ્રભાઈ, શ્રી નિર્મળાબહેન, શ્રી મહેન્દ્રભાઈ તથા આગલા ઘરના શ્રી ખીમજીભાઈ પિતાનાં સંતાનોને ઉચ્ચ કેટિનું શિક્ષણ મળે અને એની સર્વ રીતે પ્રગતિ થાય એને માટે પણ બાએ રાતદિવસ ચિંતા કરી છે.
શ્રી સવિતાબહેનને વડોદરા ગુરુકુળમાં અભ્યાસાથે મૂકવા પાછળ પૂ. બાને ઘણું મટે ફાળે હતો. પ્રસંગની હકીકત આ પ્રમાણે છે:
ઈ ટોલાથી શ્રી ઇચ્છાબહેન નામનાં એક બહેન મોમ્બાસા રિકાયેલાં. શ્રી ઈછાબહેન ખૂબ સુંદર વાજુ વગાડતાં. સવિતાબહેન ખૂબ મનથી સાંભળતાં. શ્રી ઈચ્છાબે પૂ. બાને વાત કરી કે વડોદરામાં આર્યકન્યા ગુરુકુળ નામની સુંદર સંસ્થા છે, એમાં સવિતાને ભણાવે. સવિતાબેને (પૂ. દીદી) પણ ગુરુકુળમાં જવાની હઠ લીધી. બાએ પૂ. બાપુજીને સમજાવી યુગાન્ડા કાગળ લખ્યો. પહેલાં તો પૂ. બાપુજીએ ના પાડી કે સવિતા હજી નાની છે. મેટી થાય પછી મોકલશું; પણ બની સમજાવટથી પૂ. બાપુજી માની ગયા. દીદીને બાના દિયર શ્રી વલ્લભદાસભાઈ સાથે ભારત મેકલવાનું નક્કી થયું. સ્ટીમર ઉપર જ્યારે બા મૂકવા ગયાં ત્યારે દીદી રડી પડ્યાં. પાછા જવાની હઠ લીધી. પણ બાએ મક્કમ રહી કહ્યું, એક વર્ષ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org