________________
૪૭૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો નાનપણથી જ બા બુદ્ધિશાળી રહ્યાં. સ્વભાવ ઘણું જ સ્વમાની. એકવાર એમનો દાખલે સાચો હતે છતાં માસ્તરે બાને ધબ્બો માર્યો અને દાખલો ખોટો આપે. આથી બાનું સ્વમાન ઘવાયું. એક અઠવાડિયું સ્કૂલે ન ગયાં. માસ્તરજી આવી મનાવી લઈ ગયા પછી જ બાએ શાળામાં પગ મૂક્યો. એક દિવસ બધી બહેનપણીઓ કૂવાકાંઠે પાણી ભરવા ગઈ. ત્યાં એક ભૂવો આવ્યો જેને ભાણવડમાં બધા “દાતારનો ભૂવો” એ નામથી ઓળખતાં. એ એની સાથે જાતજાતના ભગવાનની છબીઓ લાવતો. બધી બહેનપણીઓ એને ઘેરી વળી. બધી બહેનપણીઓ ભૂવાને હાથ બતાવવા લાગી. બધાંના હાથ જોયા ત્યાં ભૂવાની નજર સંતી ઉપર પડી. એણે કહ્યું, “લાવ છેડી તારે હાથ જોઉં.” સંતોકબાને હાથ જોઈ ભૂ બોલ્યોઃ
અરે! તું તે જોગમાયાનો અવતાર છે. તને રાજરાણી જેટલું સુખ છે. તારે ત્યાં તો મોટરો દેડશે.” તે સમયે તે ભૂવાની વાતને હસીને કાઢી નાંખી કારણ એમણે તો સપનામાં પણ કાર જોઈ નહોતી. વળી અતિ સાધારણ ઘરની કન્યાને રાજરાણીનું સુખ મળશે તેવી કલ્પના ક્યાંથી કરવાની હોય? પણ ભૂવાની ભવિષ્યવાણી સાચી ઠરી.
સ્વમાની સ્વભાવનાં સંતકબા રમૂજ કરી શકે એવાં ખેલદિલ પણ છે. નાનપણમાં બનેલ એક રસિક પ્રસંગ છે કે સંતોકબાની સગાઈ ગોરાણાના શ્રી કાલિદાસભાઈને દીકરા નાનજીભાઈ સાથે થઈ હતી. એક વખતે સરખેસરખી બહેનપણીઓ પાણી ભરવા જઈ રહી હતી. રાણાથી સંતીના કાકાજીસસરા વહુને જેવા ભાણવડ આવ્યા. ગામના પાદરમાં જ આ બધી સખીઓનો ભેટો થયો. ઘોડા ઉપરથી અસવાર ઊતર્યો. એણે પૂછ્યું : “છેડીયું તમે સંતી (સંતેક)ને ઓળખે છે?” સંતેકે બહેનપણીઓને કંઈ જ ન કહેવાનો ઇશારે કર્યો અને આગળ આવી તેને કહ્યું, “હા, હું સંતીને ઓળખું છું. આ મારી બાજુમાં ઊભી છે એ જ સંતી.” ઘેડેસવારે ધારીધારીને જોયું, વિશ્વાસ ન આવ્યું. ફરીવાર પૂછયું : “શું આ જ સંતી છે?” સંતીએ જવાબ આપે : હા, જેની ગોરાણે સગાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org