________________
૪૭૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો મહત્સવ શાનદાર રીતે ઊજ હતો અને એક ટ્રસ્ટ કરીને સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરવાનું શ્રેય પણ તેમને જ છે. પાલીતાણામાં ૪ અને મુંબઈમાં ૮ મહાનુભાવોનું સન્માન શાનદાર રીતે કર્યું હતું.
શ્રી કુંવરજી દેવશી લિ.ની જવાબદારી તેમના ત્રણ પુત્રોએ સંભાળી લીધી છે. તેમના જમાઈ શ્રી પ્રવીણભાઈ કારખાનું સંભાળે છે. શ્રી સરલાબહેન કંપનીના ડાયરેકટર છે, અને જરૂરી કામકાજ સંભાળે છે.
શ્રીયુત સેવંતીલાલ કાતિલાલ પટણી
શ્રીયુત સેવંતીભાઈ મૂળ પાટણના વતની. પાટણ શહેરમાં માતા કાન્તાબેન અને પિતા કાન્તીલાલ હીરાચંદને ત્યાં સંવત ૧૯૮૪ના ફાગણ સુદ ૧ ના શુભ દિવસે શ્રી સેવંતીભાઈનો જન્મ થયે. બહુ વિશાળ કુટુંબ. આઠ ભાઈએ, બે બહેનો મળીને સેવંતીભાઈ સહિત દસ દસ ભાંડરડાં છે. શ્રી સેવંતીભાઈનાં પત્ની કલાવતીબેન એક ગુણિયલ સ્ત્રી છે. વળી સેવંતીભાઈને એક પુત્ર અને બે પુત્રી છે. આખું કુટુંબ ધર્મને રંગે રંગાએલું છે. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચે માટે એમની અનુમોદના કરીએ એટલી ઓછી છે. શ્રી સેંતીભાઈ તથા તેનું આખું કુટુંબ દરરોજ પૂજા–સેવા-દર્શન ઇત્યાદિ ધર્મક્રિયા કરવી; દરજ વ્યાખ્યાન શ્રવણ કરવું, તપ, જપ, વગેરે આરાધના કરવી તેમ જ પાપકારનું કે સેવા-સુશ્રષાનું કોઈપણ કાર્ય દેખાય કે તુરત યથાશક્તિ તન મન અને ધન સાથે સમયનો પૂરતો ભેગ આપવા તત્પર બને. તેઓને વ્યવસાયમાં પ્લાસ્ટિકનું કારખાનું છે. બાસ નિવૃત્ત જીવન જીવે છે અને મોટા ભાગનો સમય ધર્મધ્યાન અને સેવામાં જ પસાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org