________________
૪૬૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો કામ શરૂ કર્યું - જે કામ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ તેમણે શરૂ કર્યું. અથવા તે સૌરાષ્ટ્રમાં બીજુ કઈ છે નહિ. - ટૂંકી મૂડીથી શરૂ કરેલા સાહસમાં ઘણી મુશ્કેલીઓને સામને કરે પડ્યો. અનેક જાતના તાણાવાણામાંથી શ્રી લાદવાલાને પસાર થવું પડ્યું. એકમાત્ર શ્રદ્ધાના બળે કામ અવિરત ચાલુ રાખ્યું.
તેમણે ધંધામાં છેવટે જે કાઈ સિદ્ધિ હાંસલ કરી તેમની પાછળનું પ્રેરણાબળ તેમનાં સ્વ. ધર્મપત્ની હતાં. સ્વ. ઝરીનાબેનના નામ ઉપરથી ઉજજ્વળ યાદગીરી રૂપે તેમણે “રીના ટાઈલ્સ'ના નામે ધંધાની શરૂઆત કરી. ઉચ્ચ ચારિત્ર્ય અને આદર્શ નારીના સર્વ ગુણની પ્રતિભા ધરાવતાં સ્વ. ઝરીનાબેને ગૃહજીવનની પિતાની ફરે ઉપરાંત ધંધાને વિકસાવવામાં વધારેમાં વધારે રસ લીધો હતો જે અહીં નોંધ્યા વગર રહી શકાતું નથી.
શ્રી લાદીવાલાનું જીવન આધ્યાત્મિકતાથી રંગાયેલું છે. જીવનમાં નવું જાણવા, જેવા અને સમજવાની લગનીએ યુરોપના ઘણા દેશનું તેમણે પર્યટન કર્યું છે.
નિખાલસ, નિરભિમાની અને ઉદારદિલ એવા આ ગૃહસ્થ ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. દાન એવી રીતે આપવું કે જમણા હાથે દઈ એ તે ડાબા હાથને પણ ખબર ન પડે એ ઉકિતને સંપૂર્ણ પણે વળગી રહેનાર શ્રી લાદીવાલાએ ભાવનગરની ઘણી સંસ્થાઓને હૂંફ આપી છે. ભાવનગરની રેટરી કલબના સભ્ય છે. પિતાની ધંધાકીય પેઢીના સ્ટાફને અને માણસોને આપ્તજન જેમ ગણે છે. છતુઓ પ્રમાણે ચીજવસ્તુઓ પિતાને માણસને આપી એક કુટુંબની ભાવનાને અમલી બનાવી છે.
પિતે સંપત્તિના ટ્રસ્ટી છે એમ માનીને મોકળા મને અને ઉદાર હાથે એક યા બીજી રીતે સૌને ઉપયેગી બનતા રહ્યા છે. તેમને ત્યાંથી કદી કઈ નિરાશ થઈને પાછું ગયું નથી. એવી એમની ઘણી વિશિષ્ટતા છે.
ભવિષ્યમાં પરદેશમાં પિતાની ઓફિસે ખેલીને અહીંથી માલ મોકલવાની ઇચ્છા ધરાવે છે. ખરે જ આ ધરતીનું તેઓ ગૌરવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org