________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૬ આ મહાન પ્રભાવશાળી મહામંત્રનો જાપ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવાની એમની ભાવના સફળ થઈ હતી. તેઓ પુણ્યશાળી પુરુષ હતા. એમની સૌરભ આજે પણ મહેંક મહેંક થાય છે, તે સુવાસ કાયમ રહે તે માટે તેમના એક પુત્ર સ્વ. શ્રી ચિનુભાઈના પુત્ર દીપક ચિનુભાઈ તેમ જ શ્રી બુદ્ધિધનભાઈ, એમનાં પત્ની અ.સૌ. ભાનુમતીબહેન અને એમના સુપુત્ર શ્રીધન, સમીર, કનક, અ.સૌ. મીરાબહેન શ્રીધનભાઈ તથા અ. સી. સેનલ સમીરભાઈ તથા પ્રિયંકા શ્રીધનભાઈ જેશીંગભાઈ શેઠના ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં ઉમંગથી ઊછળતા હૈયા સાથે સાથ અને સહકાર આપી રહ્યા છે.
શ્રી સારાભાઈ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ પિતાની મધુર ફેરમ મૂકી ગયા. તેઓ ભલે દિવંગત થયા પરંતુ તેઓનાં ધર્મકાર્યોની દિવ્ય જ્યોત આજે પણ ઝળહળી રહી છે.
શ્રી સુલ્તાન અલી કાસમઅલી લાદવાલા
શાંત અને સૌજન્ય પ્રકૃતિવાળા તદ્દન સામાન્ય સ્થિતિમાંથી આપમેળે અને સખ્ત પરિશ્રમે ઔદ્યોગિક ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં નામના મેળવનાર શ્રી સુલ્તાન અલી લાદીવાળાનું નામ જાણીતું છે. ભાવનગરના વતની શ્રી લાદીવાલાએ ઇન્ટર સાયન્સ સુધી જ અભ્યાસ કર્યો પણ પિતાની હૈયાઉકલત અને કાર્યકુશળતાને લઈ નાનપણથી જ ધંધામાં પ્રવિણ્ય મેળવતા રહ્યા.
બેંતાલીશ વર્ષની ઉંમરના શ્રી લાદીવાલાએ ૧૯૪૮ થી ૧૯૫૫ના સમયકાળ દરમ્યાન મુંબઈમાં સંયુક્ત કુટુંબ સાથે ઈમ્પોર્ટ–એકસપિટને ધંધાને ઘણે જ બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો.
ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવવાનાં સ્વપ્ન બચપણથી સેવતા હતા. સમય જતાં તેમણે ૧૯૫૫થી ટાઈલ્સ મેન્યુફેકચરિંગને ધંધે સ્વતંત્ર રીતે ભાવનગરમાં શરૂ કર્યો. સાથે મારબલ કટિંગ પિલિશિંગનું શ્ર. ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org