SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ]. [૪૬૩ દાદાના નામના જેઠાભાઈ નાનચંદ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટને તેઓએ તથા તેમના કુટુંબીજનેએ મબલખ દાન આપી ધન્ય બન્યા છે. તેઓશ્રીએ વાલિયા ટેક મુંબઈના દેરાસર તથા ઉપાશ્રયના બાંધકામ પેટે પણ ઉદાર દાન આપ્યું છે. તેઓશ્રીએ જૈન તીર્થ સ્થાનમાં પણ ધનનો સદુપયોગ કરવામાં કસર રાખી નથી. તેઓશ્રીની મહારાષ્ટ્ર સરકારે જે. પી. તથા એસ. ઈ. એમ. તરીકે નિયુક્તિ કરી યોગ્ય કદર કરી છે. મહેનત, શ્રદ્ધા અને આત્મવિશ્વાસના જેરે વિવિધ ક્ષેત્રોને ચેતનવંતાં કરનાર શ્રી સારાભાઈએ વિશિષ્ટ વહીવટી તાકાત અને દીર્ધદષ્ટિને લીધે એ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી કમળાબેન તથા ભાઈઓ તથા પુત્ર તેમના સત્કાર્યમાં પૂરે સહકાર અને અનમેદના આપે છે. શ્રી સારાભાઈનું સમગ્ર કુટુંબ આપણું ગુજરાતીઓમાં રત્ન સમું છે. સ્વ. શેઠશ્રી સારાભાઈ જેશીંગભાઈ શેરદલાલ જન્મ વિ. સં. ૧૯૫૭ પિષ સુદ-૩ ગુરુવાર. સ્વર્ગવાસ વિ. સં. ૨૦૩૩ પિષ સુદ-૮ મંગળવાર. શ્રેષ્ઠીવર્ય શ્રી સારાભાઈને જન્મ શ્રેષ્ઠીવર્ય શ્રી જેશીંગભાઈ કાળીદાસને ત્યાં અમદાવાદ શહેરમાં થયે હતા. બાલ્ય અવસ્થાથી જ તેઓને ધર્માનુરાગ ધ્યાન ખેંચે તે હતે. માતા-પિતા તરફથી ધર્મના સંસ્કાર મળતા રહ્યા અને તેઓ શ્રીના ધર્મગુરુ સૂરિસમ્રાટ આચાર્યદેવ પૂજ્ય શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજ દ્વારા સિંચન પામીને તેમના ધર્મસંસ્કાર વધુ ને વધુ પુષ્ટ થતા ગયા હતા. સમાજમાં તથા વ્યાપારિક ક્ષેત્રમાં તેઓશ્રીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શેરબજારમાં તેઓશ્રીનું નામ એક અગ્રગણ્ય શેરદલાલ તરીકે પંકાતું હતું. આ રીતે તેઓએ પિતાની ઉજજવળ કારકિદીને વધુ ઉજજવળ બનાવી હતી. તેઓશ્રીના લગ્ન વિ. સં. ૧૯૬૭માં પનવેલ (મહારાષ્ટ્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy