________________
૪૬૨ ]
[ આપણા શ્રેણી શ્રી સારાભાઈ લખમીચંદ ઝવેરી પ્રબળ માનસિક શક્તિ, બુદ્ધિચાતુર્ય અને વસ્તૃત્વશક્તિ કામની ક્રિયાશીલતા દ્વારા નામ જેવા ગુણ કેળવનાર શ્રી સારાભાઈ લખમીચંદ ઝવેરીને જન્મ તા. ૧૯–૮–૧૯૧૮ ને શુભ દિને સુખી કુટુંબમાં થયો હતો. સિદ્ધિનાં અસામાન્ય શિખરે પ્રાપ્ત કરવામાં તેમની કર્તવ્યનિષ્ઠા, સાધના અને તપને આભારી છે.
મુંબઈમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ૧૬ વર્ષની નાની ઉંમરે વ્યવસાય-ધંધામાં જોડાયા. પિતાના મોતીના ધંધામાં તાલીમ લઈ ભાઈ ઓ સાથે સ્વતંત્ર રીતે હીરાને ધંધો શરૂ કરી ધીરે ધીરે એક પ્રતિષ્ઠિત નામાંકિત ઝવેરી તરીકે નામના મેળવી. પરદેશમાં તેમની ઓફિસે પણ છે.
ધંધાર્થે તેઓ ઘણી વખત પરદેશના પ્રવાસે જાય છે. તેમની દેખરેખ અને રાહબરી પ્રસંશનીય છે. બીજા વેપારીઓ પણ તેમની સલાહ અને માર્ગદર્શનને અનુસરે છે. શ્રમ, સાધના અને ઉત્કટ જિજ્ઞાસાને અવિરત જલસિંચન વડે પિતાની વિરલ બુદ્ધિપ્રતિભાને ફલદાયિની બનાવીને તેઓશ્રીએ સમાજમાં પણ આગવું સ્થાન શોભાવ્યું છે.
વતન બનાસકાંઠામાં લેકકલ્યાણનાં અનેક વિકાસાત્મક કાર્યો કરી પિતાને વતનપ્રેમ બતાવ્યો છે. ગઢ-બનાસકાંઠામાં કન્યાશાળા, હાઈસ્કૂલ તથા લાઈબ્રેરી, દવાખાનું કે જે હાલમાં હોસ્પિટલમાં ફેરવવામાં આવે છે તે તથા એમના પિતાશ્રીને નામે પાલનપુરમાં જૈન બોર્ડિંગ પણ ચાલે છે. ઘણું પુણ્ય કમાયા છે. શ્રી સારાભાઈ અનેક સંસ્થાઓના ટ્રસ્ટી છે, તેમ જ પ્રાણસમા છે. મહાવીર વિદ્યાલય, ગોવાળિયા ટેકમાં પેટ્રન છે. મોતી ધર્મ કાંટામાં ટ્રસ્ટી છે. ડાયમન્ડ મરચન્ટ એસેસિયેશનના પેટ્રન છે. મુંબઈની શકુન્તલા હાઈસ્કૂલના પેટ્રન છે. પાલીતાણા બાલાશ્રમ તેમ જ મહુવા બાલાશ્રમના પણ પેટ્રન છે.
ડાયમંડ એક્ષપોર્ટ એસેસિયેશનમાં કમિટી મેમ્બર હતા. જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ કમિટીમાં મેમ્બર હતા. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org