________________
અભિવાદનગ્રંથ ]
[૪૬૧ જીવનમાં ધમને પચાવી શક્યા હતા. તેના પ્રભાવે છેલ્લી ક્ષણમાં પણ અરિહંત પરમાત્માનું રટણ અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ તેઓ ભૂલ્યા ન હતા. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં હસતા મુખે ચાલ્યા ગયા હતા. આમ પિતાનું મૃત્યુ પણ મહત્સવરૂપ બની ગયેલ અને એ રીતે તેમની જીવનસુવાસ અમર બની.
શ્રી સમસુદીન તૈયબઅલી છત્તરીઆ મહુવાનું છત્તરીઆ કુટુંબ સાહસિકતા, દીર્ઘદ્રષ્ટિ અને વ્યવહારદક્ષતા માટે જાણીતું છે. આ કુટુંબના એક યુવાન સભ્ય શ્રી સમસુદ્દીનભાઈએ મહુવા ઔદ્યોગિક ક્ષેત્રે એક નવીન ભાત પાડી છે. મેટ્રિક સુધીને જ તેમને અભ્યાસ પણ ઔદ્યોગિક ક્ષેત્રે કાંઈક કરી છૂટવાનો મનસૂબો બચપણથી સેવેલે. તેમને જોઈએ તેવું કાર્યક્ષેત્ર મળી ગયું. તેમની કાર્યદક્ષ શક્તિનાં દર્શન થયાં અને છત્તરીઆ આયર્ન વર્કસની સ્થાપનાથી માંડી આજ સુધીમાં વિશાળ પાયા ઉપર ધંધાને વિકસાવે છે જે તેમની પ્રમાણિકતા અને પ્રચંડ પુરુષાર્થને આભારી છે. ચીવટપૂર્વક વિશ્વાસ અને ખંતથી કામ કરવાની તેઓ આગવી સૂઝ ધરાવે છે. ચાલીસ વર્ષની નાની ઉંમરમાં તેમણે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે.
સમાજની જરૂરિયાતને અનુલક્ષીને કમે કમે નવા નવા ફેરફાર અને નવું સંશોધન એ એમના કામની ખાસ વિશિષ્ટતા છે. ઉમદા અને આદર્શવાદી વિચારો ધરાવતા શ્રી સમસુદ્દીનભાઈએ મહુવાના સમાજસેવાના ક્ષેત્રે પણ આગવી ભાત ઊભી કરી છે. મહુવા લાયન્સ કલબ, કેળવણી સહાયક સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ, લેખંડ એસોસિયેશન વગેરે સંસ્થાઓમાં તેમનું પ્રથમ હરોળનું સ્થાન છે. ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં પણ તેમની ગણના થાય છે. તેમને સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનવૃત્તિ અને સાદા જીવનથી સમાજમાં સારું એવું માનપાન પામ્યા છે. ઈજિપ્ત જઈ આવ્યા છે. હજ પટવા માટે મકા, ઈરાક અને કેરે દેઢ-બે માસ માટે, મહુવામાં જ મજિદના કામમાં સારી એવી રકમનું ડેનેશન આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org