SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [૪૫૯ માર્ગદર્શન અને પ્રેરણા આપ્યાં. જે માનવી જમાનાના ભાવિ એંધાણને પારખી શકે છે તે માણસ ધંધાને આબાદ રીતે વિકસાવી શકે છે. આવી રહેલા પ્લાસ્ટિક યુગની જરૂરિયાતને લક્ષમાં લઈને તેવી આઈટેમમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને સમય જતાં તેમની દોરવણી નીચે પુત્રોએ આજ સુધીમાં ત્રણ ફેકટરીઓ ઊભી કરીને વ્યાપારી સમાજમાં ગણનાપાત્ર સ્થાન ઊભું કર્યું. ચોતેર વર્ષની જૈફ ઉંમરે તેઓ સ્વર્ગવાસી બન્યા; પણ તેમણે મંગલ ધર્મના રાહ ઉપર ચાલવાની જે પગદંડી ઊભી કરી તે ખરેખર અનમેદનીય છે. એમ લાગે છે કે માનવી જ્યારે જ્યારે જે કાંઈ રિદ્ધિસિદ્ધિ હાંસલ કરે છે ત્યારે તેની પાછળના રહસ્યને પડદે માનવીના આગવા વ્યક્તિત્વનાં કેટલાંક ઊજળાં પાસાઓ જ બેલી નાખે છે. શ્રી સવાઈલાલભાઈ પણ આવા જ કેટલાક સગુણોથી શોભતા હતા. તેમની છેલ્લી અવસ્થામાં તેમને કેન્સર થયેલું પણ બે દાયકા સુધી એ જીવલેણ દર્દીની સામે ઝઝૂમ્યા. એટલું એમનું મજબૂત મને બળ હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ હતા. જીવનભર સાદાઈ છેડી નથી, દેવદર્શન અને ગુરુવંદનાના નિયમને સતત માન આપ્યા કર્યું છે. તેમના સુપુત્રેમાં શ્રી બકુલભાઈ, શ્રી સુબોધભાઈ, શ્રી રમેશભાઈ અને શ્રી હરેન્દ્રભાઈ ધંધામાં જોડાયા છે. શ્રી સૂર્યકાન્તભાઈ અને શ્રી સનતભાઈ અન્ય કામમાં ગોઠવાયા છે. પ્લાસ્ટિકના ધંધામાં શ્રી બકુલભાઈની પ્રચંડ જહેમત દાદ માગી લે તેવી છે. તેઓ મુંબઈ વસવાટ કરે છે. આ ફેકટરીને માલ પંજાબ, હરિયાણા સુધી જાય છે. એ રીતે ભારતના ઘણા ભાગો સુધી તેમના વ્યાપારી સંબંધ સારી રીતે વિકસેલા છે. શ્રી સવાઈલાલભાઈને આડંબરરહિત એકધારા સરળ જીવનથી અનેકેને પ્રેરણા મળી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy