SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કુટુંબીજને તેમ જ સ્વજને પાસે પિતાનું અસ્તિત્વ સ્વીકારાવવા તેમને ઘણું સહન કરવું પડ્યું છે. તેમની લડાયક વૃત્તિ અંતે તે સમાજને અને રાષ્ટ્રને ફળી છે. શિક્ષણ, કલા અને સંસ્કારની વધુ ને વધુ સેવા કરવા પૂજ્ય દીદી આપણી વચ્ચે સુદીર્ઘ કાળ રહે એવી ઈચ્છા સહેજે વ્યક્ત થઈ જાય છે. સંકલન—શ્રી નાથાલાલ રૈયાલા, પિરબંદર. શ્રી સવાઈલાલ લલુભાઈ ધામી ભાવનગર દિગમ્બર જૈન સંઘના અગ્રેસર તરીકે વર્ષો સુધી ઓનરરી સેવા આપનાર શ્રી સવાઈલાલભાઈ ધામી મૂળ ભાવનગરના વતની. નવ ગુજરાતી સુધીને સામાન્ય અભ્યાસ પણ કેઠાસૂઝ અને અને દીર્ધદષ્ટિ વિચક્ષણ હોવાને કારણે પિતાના છ સુપુત્રોને જે ધંધાકીય તાલીમ અને ઘડતર આપ્યું તેને કારણે પુત્રએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગને ક્ષેત્રે તેમના સુપુત્રોએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેની પાછળ શ્રી સવાઈલાલભાઈની તપશ્ચર્યા કારણભૂત છે. સંસારચક્રમાં માનવ જે ક્ષીરબર ન્યાયે જીવન જીવ્યે જાય; મંગલ ધર્મના ઉમદા આદર્શોને વ્યવહારના તાણાવાણામાં પણ જે બરાબર ગૂંથી લે, સમર્પણની ઉદાત્ત ભાવનાથી રંગાયેલા હોય, પ્રાણી માત્ર પર દયા અને કરુણાની ભારોભાર લાગણી હોય તે માનવીને પિતાના જીવતરની મીઠાશ તો હોય જ છે, પણ તેમના એ મધુર જીવનની સુમધુર સુવાસ અન્ય વિશાળ સમુદાયમાં પણ મહેકતી રહે છે. તેમના પરિવારમાં ઘરમાં ધર્મ અને ધાર્મિક વાતાવરણ– નિયમિત પૂજાવિધિને દઢ આગ્રહ, ગુપ્તદાનના પ્રખર હિમાયતી, આંગણેથી ક્યારેય કોઈ કદી પાછું ખાલી હાથે ગયું નથી. નમ્રતા, સૌજન્ય, સાદાઈ અને ઘરના વિશિષ્ટ સંસ્કારે. કુદરતે યારી આપી. પિતે કામકાજ કરતા હતા. સમય જતાં પુત્રોને પ્લાસ્ટિકના ધંધાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy