SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ! [ ૫૭ માથે અભિષેક કરીને શાલ ઓઢાડી, “બેટા, તને ખૂબ ખૂબ યશ મળે. મારા અંતરના તને આશીર્વાદ છે.” કહેતાં કહેતાં માથે હાથ મૂક્યો ને પિતા પુત્રી વચ્ચે પેઢીનાં અંતર વિલય થયાં. નારીની પૂર્ણતા કલા ને શિક્ષણના સમન્વયમાં સમાયેલી છે. તેવા શિક્ષણ શાસ્ત્રી દીદીજીના મંતવ્યની સાથે તેઓ પૂર્ણતયા એક થયા. સમર્થ પિતાના આ માનસિક ઉત્થાનને દીદીજીએ પોતાના જીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ માની છે. કુમારી સવિતાબહેને મણિપુરી નૃત્યનું દર્શન લંડન, પેરિસ, જીનીવા, નૈરોબી, દારેસલામ અને કમ્પાલાના લોકે સમક્ષ કયું હતું અને ભારોભાર પ્રશંસા મેળવી હતી. અત્યાર સુધીમાં તેઓએ ૧૬ નૃત્યનાટિકાઓ તથા અનેક નાટકનું દિગદર્શન કર્યું છે. પ્રસિદ્ધ ગુજરાતી નાટકલેખક ત્રાપજકરજીના “વૈષ્ણવ જન તો તેને રે કહીએ.” નાટકનું દિગ્દર્શન જે સ્વયં ત્રાપજકરજી બોલી ઊઠ્યા કે “મારાં ૩૫ નાટકે આજ સુધી ભજવાયાં છે. એ બધાં ય પ્રેફેશનલ દિગદર્શકે કરતાં દીદીજીનું દિગદર્શન ખૂબ જ ઉચ્ચ કક્ષાનું નિહાળી રહ્યો છું. સાક્ષાત્ દામોદર શેઠ શ્રીકૃષ્ણને આઠ પટ્ટરાણીઓ સાથે તેમણે ભૂમંડળ પર ઉતાર્યાને આજે અદ્ભુત ભાસ કરાવ્યું છે.” (ઈ. સ. ૧૯૭૯) છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ મણિપુરી નૃત્ય અને તેની ખૂબીઓ વિષે સંશોધન કરી રહ્યાં છે અને આ મહામૂલી કલા વીસરાઈ ન જાય તે અંગે મથામણ ચલાવી રહ્યાં છે. આ સંશોધન તેમની સ્થાપેલી સંસ્થા પરિમલ અકાદમી, મુંબઈ દ્વારા ચાલી રહ્યું છે. અને નૃત્ય ઉપરાંત આયુર્વેદ, યોગ અને સંવાહનવિદ્યાની દિશામાં પણ દીદીજીના માર્ગદર્શન હેઠળ તે અકાદમી કાર્યશીલ રહી છે. આમ સવિતાદીદી એક વ્યક્તિ મટીને સંસ્થા બની ગયાં છે. આ કક્ષાએ પહોંચવું તે સહેલું નહોતું. અનેક મુસીબતોને સામને તેઓએ કરે પડ્યો છે. ઘણાની અપ્રિયતા અને કટુતા તેઓએ વહોરવી પડી છે. ખરેખર તેમને માર્ગ કંટકછાયું હતું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy