________________
અભિવાદનગ્રંથ ]
[ પપ વિદ્યાર્થિનીઓને પણ સંસ્થામાં લઈ વાડા તેડ્યા ખુદ દીદીએ પુરુષવેશ અપનાવી મેટર–ચાલનનું કામ પણ હાથ ધર્યું. આ બાબતને સારી પેઠે વિરોધ થયે પણ માતાની હૂંફ નિરંતર મળતી રહી અને બળ મળ્યા કર્યું. સંસ્થામાં નૃત્યકાર્યક્રમ ગોઠવવા સામે પિતાને વિરોધ થતો. પુત્રીને લગ્ન કરી લેવા દબાણ થતું. નૃત્ય કરવાની ઉપર તે ખરો, પણ તે જેવા ઉપર પણ પિતાને પ્રતિબંધ. નૃત્યને શિક્ષણ અર્થે શાંતિનિકેતન જવાનું વિચારતાં તેના પર પણ પિતાનો કેપ. પરંતુ સૌ પ્રથમ આફ્રિકાગમન કરવામાં પિતાની જે મનવૃત્તિ કામ કરી ગઈ હતી તે જ મનવૃત્તિ ઊંડે ઊંડે સવિતા દીદીમાં પણ કામ કરતી હતી. ૧૯પરમાં ગુરુકુલની કન્યાઓને આફ્રિકા લઈ જઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અપાવ્યું, જે ત્યાં જતી સંસ્કારયાત્રાઓમાં સર્વશ્રેષ્ઠ ઠર્યો. યુરોપિયન, આફ્રિકને અને એશિયનેએ તેમનાં વ્યાખ્યાનો તથા કન્યાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોને ભારતના સાચા પ્રતિનિધિત્વ તરીકે બિરદાવ્યાં. ગુરુકુલ સંસ્થા આમ છેલ્લાં ૪૫ વર્ષોથી જ્ઞાનત પેટાવી દેશવિદેશની બાલિકાઓમાં અજવાળાં રેલાવી રહી છે, અને એક મહાન માતબર સંસ્થા તરીકેનું બિરુદ તેણે મેળવી લીધું છે. વહેમ અને અજ્ઞાનથી લદાયેલા સમાજમાં તેણે એક મુક્ત વિચારના કેન્દ્ર લેખેનું સ્થાન પણ પ્રાપ્ત કરી લીધું છે. આ બધું દીદીના આચાર્યપદ હેઠળ સિદ્ધ થઈ શકયું છે. પિતાની વધી ગયેલી પ્રવૃત્તિઓના વ્યાપના કારણે દીદીને મોટા ભાગે ચારે કોર જવાનું રહે પણ ગુરુકુળ તે તેમના હૈયે જ વળગ્યું હોય. જ્યાં હોય ત્યાંથી નિરંતર માર્ગદર્શન આપતાં જ રહેતાં હોય.
શિક્ષણ એમનું પ્રિય કાર્ય છે. વેદો અને સંસ્કૃત સાહિત્ય એમના શેખના વિષયો છે એ ખરું-છતાં યે તેમનું જીવિત દ્વિતીયમ કહી શકીએ. તે તો એમણે મેળવેલું નૃત્ય-વિદ્યા-કલાની ઉપરનું પ્રભુત્વ ૧૯૫૫માં નહેરુ અકાદમી ઈમ્ફાલ, મણિપુર તરફથી તેમને નૃત્યને ડિપ્લોમા મળે. એ જ સાલમાં તે જ સ્થળના શ્રી શ્રીગોવિંદજી મંદિરની બ્રહ્મસભાએ એમને “નર્તન-આચાર્યા ”ના પદથી વિભૂષિત કર્યા. મણિપુરી નૃત્યના સમર્થ પુરસ્કર્તા તરીકે તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org