________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૭ ૦ ચલચિત્રાના કલાનિદેશક તરીકે શ્રી હીરાભાઈ પટેલનું નામ આખા દેશમાં પ્રખ્યાત છે. પાટણ પાસેના રૂવાવી ગામના વતની હીરાભાઈ એ આપોઆપ કેઠાસૂઝ દ્વારા ચિત્રકળામાં પ્રગતિ કરી.
જ્યશંકર સુંદરી”, રવિશંકર રાવળ, નંદલાલ બાબુ પાસેથી પ્રેરણ લઈ ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. અનેક તડકી-છાંયડીમાંથી પસાર થઈને હીરાભાઈ એ ઈ. સ. ૧૯૭૫માં ઉંમરગાંવમાં ૪૦ એકર જમીન લઈને “વૃંદાવન સ્ટડીએ” ઊભો કર્યો. અહીં ગુજરાતી, હિન્દી, ભોજપુરી ભાષાનાં ચલચિત્ર ઊતરે છે. રામાનંદ સાગરની ટી. વી. એણે “રામાયણ અને અન્ય ૪૦૦ જેટલી ફિલ્મનું કલાનિર્દેશન કરનાર શ્રી હીરાભાઈ પટેલને ફિલ્મ ફેડરેશને પણ સન્માન્યા છે.
1 એવું જ બીજુ અનેખું ક્ષેત્ર પુસ્તકાલયનું છે. એમાં પણ ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. વડેદરા રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના ભીષ્મ પિતામહ શ્રી મોતીભાઈ અમીને ૧૧૧માં મધ્યવતી પુસ્તકાલયની સ્થાપના કરી. ૧૯૨૫માં પુસ્તકાલય” નામનું મુખપત્ર શરૂ કર્યું. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયડવાડે આ પ્રવૃત્તિને પૂરતું પ્રેત્સાહન આપ્યું. ૧૯૪રમાં વડોદરા રાજ્યમાં ૪ પ્રાન્ત પુસ્તકાલય, ૪ર કચ્છ પુસ્તકાલય, ૧૨૭૦ ગ્રામ પુસ્તકાલય, ૩૦ બાળ અને મહિલા પુસ્તકાલયે, ૧૫૬ વાચનાલયે હતાં. મહારાજા પ્રતાપસિંહ આ પ્રવૃત્તિ પાછળ દર વર્ષે ૯૦ હજારનો ખર્ચ કરતા હતા.
ભાવનગરના કંસારા યુવાન નલિનભાઈ કાનજીભાઈ બુચે જુદા જુદા કાગળ પર વર્ષ–મહિના–તારીખના કેઠા તૈયાર કરીને ગ્રેગેરીઅન કેલેન્ડરના ૧ વર્ષથી ૧ લાખ વર્ષ સુધીમાં કઈ તારીખે ક વાર હતું તે પુરવાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકેઝના નાયબ સંપાદક શીલાંગ મસે આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. | ભારતની બહુરંગી ટપાલટિકિટોમાં પણ ગુજરાતના બાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org