SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ આપણા શ્રેષ્ઠીવર્યો દેદીપ્યમાન ઘરદીવડા : - વિદેશમાં વસીને ગુજરાતની યશગાથાને બુલંદ બનાવનાર વિભૂતિઓ છે, તેમ દેશમાં વસને અપૂર્વ–અસાધારણ-અપ્રતિમ કામ કરીને ગુજરાતનું ગૌરવ વધારનાર ઘરદીવડાની સંખ્યા નાનીસૂની નથી. 3 ઈ. સ. ૧૯૮નો “વિશ્વગુર્જરી’ એ પ્રાપ્ત કરનાર ડે. મણિભાઈ દેસાઈ ગ્રામસેવાના ભેખધારી છે. આઝાદીની લડતમાં જોડાયેલા મણિભાઈને મહાત્મા ગાંધીજીએ ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં રહીને લોકસેવા કરવાની સલાહ આપી ત્યારથી તેઓ ગ્રામવિકાસનાં કાર્યોમાં રચ્યાપચ્યા રહ્યા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં સુધારા કર્યા. ત્રણ હજાર ગ્રામીણ વિદ્યાર્થી ઓને વ્યવસાયલક્ષી તાલીમ આપતી સંસ્થા સ્થાપી. છ હજાર ગામડાંઓનાં ૩ લાખ ગ્રામીણ કુટુંબની દેખરેખ, પશુસંવર્ધન, જળસંગ્રહ, ભૂમિસંરક્ષણ. વૃક્ષ ઉછેર, ગોબરગેસ, વાચ્ય અને કેળવણી અંગેની કાર્યવાહી ચલાવી. તેમને વિવિધ યુનિવર્સિટીઓની ડોક્ટરેટની પદવી, જમનાલાલ બજાજ એવોર્ડ, પાલરત્ન”, “વાટુમલ ફાઉન્ડેશન એડ', પદ્મશ્રી” આદિ પ્રાપ્ત થયાં છે. U જૂનાગઢના વતની અને અમદાવાદને પિતાની કર્મભૂમિ બનાવનાર શ્રી અરવિંદભાઈ બૂચને પણ ૧૯૮૯ને “વિશ્વગુર્જરી” એવોર્ડ એનાયત થયે છે. “મજૂર મહાજન સંઘ” સાથે જોડાઈને ૪પ વર્ષ સુધી મજૂરપ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો. હડતાલ જેવાં અવરોધક પરિબળોને આશરે લેવાને બદલે શાંતિ-સમાધાન દ્વારા મજૂરની સમસ્યાઓ હલ કરવામાં સફળ રહ્યા. એમની આ કાર્ય પદ્ધતિની જીનીવાની “આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન” સંસ્થાએ પણ નોંધ લીધી છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત બેંકિંગ, વિદ્યુત, કૃષિશ્રમિક, આદિ ક્ષેત્રનાં સંગઠને રચીને આ પ્રવૃત્તિઓને વધુ વ્યવસ્થિત બનાવી છે. તેમને ઈ. સ. ૧૯૮૫માં ‘પદ્મશ્રી’ના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy