________________
૪૫૦ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી શિવુભાઈ વસનજી લાઠિયા શ્રી લાઠિયાનો જન્મ ૧૫ મે ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રમાં મેંદરડા ગામે થયો. મુંબઈની વિલ્સન કોલેજમાં તેઓએ પિતાનું શિક્ષણ લીધું. ૧૯૫૧માં તેઓએ બી.એસસી.ની પરીક્ષા ઓનર્સ મેળવી પાસ કરી. રબર ટેકનોલેજીના ક્ષેત્રે વધુ ઉચ્ચ અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા. છેવટે રબર ટેક. ને અભ્યાસ કરીને રબર ટેકને લઇને ડિલેમા મેળવી ભારત પાછા ફર્યા. પછી તેઓએ ૧૯૫૩માં ઓગસ્ટની ૧૫મીના રબર ફેક્ટરી શરૂ કરી. આ ફેકટરી પહેલાં મુંબઈના લેમિંટન રેડ પર હતી પરંતુ ૧૯૫૯માં તેને સાકી નાકા પર ફેરવવામાં આવી. આ ફેક્ટરી દ્વારા ઉદ્યોગો માટે રબરનાં સાધનો અને રમ્બરની દેરીઓ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે.
વિજ્ઞાનની પ્રગતિનો લાભ લઈ ઉદ્યોગના ક્ષેત્રે પ્રગતિ સાધવામાં જરાય પાછળ રહ્યા નથી. ૧૯૬૫માં તેઓ “જસ્ટિસ ઓફ પીસ' તરીકે નિમાયા. ‘મુંબઈ એસેસિયેશન”, “ભારત નારી કલ્યાણ સમાજના માનદ ખજાનચી તરીકે નિમાયા. પૂર્વ મુંબઈની રેટરી કલબના ડાયરેકટર તરીકે ચૂંટાયા. “લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ” અને ઇન્ડિયન રબ્બર ઈન્ડસ્ટ્રીઝના કામદારોની પ્રેવિડન્ટ ફંડ સમિતિના ચેરમેન તરીકે નિમાયા. તેઓ “ઇન્ડિયન કેન્સર સોસાયટી” “પ્રોગ્રેસિવ ગ્રુપમાં નિમાયા. મિશન કિપડ ચિલ્ડ્રન સોસાયટી, હેરલ્ડ લાક્કી ઈન્સ્ટીટ્યુટ ઓફ પિલિટિકસ જેવી અનેક સંસ્થાઓના આશ્રયદાતા સમાન છે અને “ઇન્ડિયન રેડક્રોસ સેસાયટી'માં પણ ગણનાપાત્ર સહાય આપી છે. બેખે એસોસિયેશનની સ્થાપના કરનાર તેઓ સભ્ય છે.
આ ઉપરાંત બીજી વિવિધ પ્રકારની સમિતિના સભ્ય છે – જેવી કે બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસે, ઇન્ડિયન રમ્બર ઈન્ડસ્ટ્રીઝ એસેસિયેશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ ઇન્સટીટયુશન બોર્ડ ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એકઝીક્યુટિવ, સમાજ શિક્ષણ મંદિર નિધિ સમિતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org