SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] || જs કેમર્સ તથા જામનગર બુલિયનના માનદ મંત્રી ઉપરાંત બંદર, રેલવે, ટેલિફેન, આર. ટી. એ. વગેરેની સલાહકાર સમિતિના સભ્યપદે વર્ષો સુધી રહ્યા છે. જ્ઞાતિનાં કેળવણી મંડળે એમ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટરી કલબ-મોરબીના પ્રમુખ લાયન્સ કલબ-જામનગરના પ્રમુખ-મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે તેમની સેવા જાણીતી છે. વતન જામનગરમાં બાલમંદિરથી માંડી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતી સંસ્થાનું એક ટ્રસ્ટ ઊભું કરી તે ટ્રસ્ટ દ્વારા તેનું સફળ સંચાલન કરી રહ્યા છે, જેને માટે સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમ જ તેમના પિતાશ્રી સ્વ. ગોકળદાસ ડાહ્યાભાઈ વીશા શ્રીમાળી વણિક વિદ્યોતેજક સંસ્થા કે જે સંસ્થા પિતાનાં જ્ઞાતિજનોને દર વર્ષે ૪૦,૦૦૦ થી પ૦,૦૦૦ રૂપિયા કેલરશિપમાં આપે છે, તે સંસ્થાના ટ્રસ્ટી છે. વ્યાપારી જીવ હોવા છતાં માનવતાના કાર્યોમાં, શિક્ષણસાહિત્યની પ્રવૃત્તિઓમાં અને નાના માણસેની સુષુપ્ત શક્તિઓને પારખી તેમને ઊંચે લઈ જવા પિતાથી યથાશક્તિ મદદ કરી છૂટવામાં ક્યારે ય પાછી પાની કરી નથી. રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઘણાં વર્ષો સુધી તન-મન-ધનથી સેવા આપી. આજે પણ તેમના ઉચ્ચ વિચારે અને આદર્શો જોતાં એમ લાગે છે કે સમાજની જે કાંઈ આબાદી કે ઉન્નતિ હશે તે આવા શ્રેષ્ઠીવર્યોને આભારી છે. થોડા સમય પહેલાં જ ભાવનગરમાં કોર્પોરેશન બેંકની ૩૨૫મી શાખા તેમના હાથે ખુલ્લી મુકાઈ. ભાવનગરની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કેમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઘણા સમયથી પ્રમુખ તરીકે રહીને ભાવનગરના ઘણું પ્રાણપ્રશ્નોને વેગ્ય સમયે અને યોગ્ય સ્થળે રજૂઆત કરવામાં તેઓ સફળ નીવડ્યા છે. ઔદ્યોગિક સાહસિકોને તેમનું માર્ગદર્શન અને વિશાળ અનુભવનું ભાથું ઉપયોગી બની રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy