________________
૪૪૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો
શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખ શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખને આજના કપોળ સમાજે પિતાના લાડકવાયા તરીકે અપનાવ્યા છે. સમાધાનવૃત્તિ, જિજ્ઞાસુપણું, હાથ પર ધરેલા કાર્ય પરત્વેની ચીવટ, અને કંઈક નવું કરી છૂટવાની મનવૃત્તિ વગેરે ખાસિયત એ સામાજિક ક્ષેત્રે, વ્યાપારી ક્ષેત્રે, સેવાક્ષેત્રે આજનું સ્થાન નિરૂપવામાં મહત્ત્વને ભાગ ભજવે છે.
- શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખ જન્મભૂમિ ચલાલામાં પ્રાથમિક શિક્ષણ મેળવી અમરેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા કળિ બેડિ"ગમાં ઈ. સ. ૧૯૨૧માં દાખલ થયા. ઈ. સ. ૧૯૨૫માં મેટ્રિક પાસ કરી મુંબઈમાં પેટ-એકસપિટ કંપનીમાં દાખલ થયા. ઈ. સ. ૧૯૨૭માં ઈટાલિયન કંપની મેસર્સ ગોરિયે લિ. માં યાર્નના સેસમેન તરીકે જોડાયા માસિક રૂા. ૧૨૫ ના પગારથી.
આટ સિલ્ક કાપડ બનાવવાના ઉદ્યોગની આપણું દેશમાં શરૂઆત જ હતી. તે વખતે ઈ. સ. ૧૯૩૮માં ભાગીદારીમાં વિજય સિલ્ક મિલ્સની સ્થાપના કરી. (આ મિલનું બીજી સિલ્ક મિલ્સ સાથે જોડાણ કરી) ઈ. સ. ૧૯૪૪માં અશોક સિલ્ક મિસના નામથી ઉદ્યોગનું વિસ્તરણ કર્યું. ઉદ્યોગ અને વ્યાપાર અર્થે ઈ. સ. ૧૯૪૮માં પ્રથમ વિદેશયાત્રા કરી. નવી વેલવેટ મશીનરી પ્રથમ જ હિન્દુસ્તાનમાં મંગાવી. ધિ આદિત્ય ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. નામની કંપની ઊભી કરી. ભારતવિજય વેલવેટ એન્ડ સિલક મિસ નામની મિલ સ્થાપી અને ભારત વેલવેટ”ના નામથી વેલવેટ તથા સિન્થટીક કાપડનું ઉત્પાદન શરૂ કર્યું.
કપોળ કો-ઓપરેટીવ બેન્ક લિ. માં ઈ. સ. ૧૯૯૩ સુધી ૧૧ વર્ષ સેવા અપી. જુદી જુદી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાએમાં જોડાઈ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. જગતની સેવા માટેની નામાંકિત સંસ્થા રોટરી કલબના સિનિયર એકિટવ મેમ્બર છે. પારેખ દોશી કપોળ ડિગમાં ઈ. સ. ૧૯૫૯ થી ટ્રસ્ટી તરીકે ચાલુ છે. કેળવણી અને સામાજિક કાર્યમાં રસ ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org