________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૪૩ શ્રી શશીકાન્તભાઈ રતિલાલભાઈ ભાવનગર જૈન સંઘના પ્રથમ હરોળના અગ્રણી કાર્યકરોમાંના એક છે. જૈન સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા છે. રોટરી કલબની શુભ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સભ્યપદે રહીને સારો રસ ધરાવે છે.
ઘણું જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના શ્રી શશીકાન્તભાઈ વ્યવહારુ અને કાર્યદક્ષ વ્યાપારી તરીકે પણ જનસમૂહમાં સારી ખ્યાતિ પામ્યા છે.
વેપાર-વાણિજ્યનું જીવનોપયોગી શિક્ષણ તેમણે પિતાશ્રી પાસેથી મેળવ્યું જેને ઉપયોગ આજે ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે.
લેઢાવાળા હોસ્પિટલમાં વાઈસ ચેરમેનપદે, મંદ બુદ્ધિના બાળકેની શાળામાં ટ્રસ્ટી તરીકે, વર્ધમાન-કે. એ બેન્કમાં ડાયરેક્ટર તરીકે, જેન સંઘના દવાખાનામાં ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ જાણીતી છે. અંધ ઉદ્યોગશાળામાં ટ્રસ્ટી, બહેરા-મૂંગાની શાળામાં ટ્રસ્ટ, વેતાંબર જૈન સેવા સમાજના ટ્રસ્ટી.
તેમનાં ધર્મપત્ની ચંદ્રાબેનનું ધાર્મિક કાર્યોમાં યશસ્વી પ્રદાન રહ્યું છે. શાસન-સેવાનાં અનેકવિધ કાર્યોમાં આ પરિવારે દાનગંગા વહેતી રાખીને યશકીતિને પામ્યા છે. આ પરિવાર ભાવનગરનું ૌરવ છે.
ધાર્મિક પ્રવૃત્તિમાં સારો રસ ધરાવે છે. તેમણે આઠ, પંદર માસક્ષમણ તથા ૪પ (પિસ્તાલીશ) દિવસના ઉપવાસ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી મેતીપ્રભસૂરીશ્વરજી મહારાજની સાંનિધ્યમાં સફળતાપૂર્વક કરેલ હતા. જોઢાવાળા હોસ્પિટલ, બહેરાં-મૂંગાની શાળા, અંધ ઉદ્યોગ શાળા તથા ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, જૈન સેવા સમાજ, પૂ. આચાર્ય ભગવંતશ્રી મેતીપ્રભસૂરીશ્વરજીની મૂર્તિપ્રતિષ્ઠા તથા શાસ્ત્રીનગર જૈન દેરાસરમાં મૂર્તિ પધરાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org