________________
૪૪૨ ]
|| આપણા શ્રેષ્ઠીવર્યો તેમ જ જેએ વિકટ પરિસ્થિતિને પણ ઓળગી જવાનું બૈર્ય ધરાવતા હોય તેઓ લક્ષ્મીના લાડીલા થયા વિના રહેતા જ નથી. શ્રી શશીકાન્તભાઈ પણ આ રીતે લક્ષ્મીના લાડીલા બન્યા અને સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પામ્યા. છેલ્લાં પાંચેક વર્ષથી તેઓએ કેમિકલ્સ અને ડ્રગ્સના અગ્રગણ્ય અને સાહસિક વેપારી તરીકે નામના પ્રાપ્ત કરેલ છે.
તેઓશ્રી ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને માનવરાહતની અને સમાજકલ્યાણ વગેરે અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે અને રક્તદાન તેમ જ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા છે.
માનવ કલ્યાણ કેન્દ્ર” મુંબઈના તેઓ સ્થાપક છે અને છેલ્લાં ચાર પાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં તેમ જ સ્કૂલેમાં, પાઠશાળાઓમાં વગેરે જરૂરિયાતવાળાં સ્થળોએ તેમ જ રેલ રાહત અને અનાવૃષ્ટિમાં પિતે જાતે જઈ નિરીક્ષણ કરીને બધી જ સગવડતા પૂરી પાડી રહેલ છે. અને આ કાર્યમાં તેમના બહોળા મિત્ર-સમુદાયને પણ તેઓએ સાથે જેડેલ છે.
શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળના તેઓ મંત્રી છે. શ્રી તારદેવ જૈન મિત્ર મંડળના ખજાનચી છે. સંજીવની ટ્રસ્ટ, મુંબઈને તેઓ એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર છે. શિવ જૈન શ્રેયસ્કર મંડળના પણ સભ્ય છે. આ ઉપરાંત શ્રી બોમ્બે જૈન સ્વયંસેવક મંડળમુંબઈના પણ તેઓ લંટિયર તરીકે ઘણું વર્ષો સુધી રહીને અતિ સુંદર કામગીરી બજાવીને દરેકને પ્રેમ સંપાદન કરેલ છે. તેઓએ થોડા સમય પહેલાં આફ્રિકાની સફર કરી હતી.
શ્રીમતી નિર્મળાબહેન, ભાઈશ્રી શશીકાન્તનાં અર્ધાગીની છે. તેમની સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓમાં સહગ આપી રહેલ છે. તેમના સુપુત્ર ભાઈ દિલીપભાઈ ભાઈ પંકજ તથા ભાઈ મુકેશ તેમના માનવતાના કાર્યક્રમમાં સારો સહકાર આપી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org