________________
અભિવાદનગ્રંથે ]
[ ૪૪૧ એમની એક મહત્વાકાંક્ષા હતી કે જામસાહેબે જપ્ત કરેલી નરભેરામ ભગવાનજીની મિલકત છેડાવી તેને ચેરીટી ટ્રસ્ટને સુપ્રત કરી સારે માર્ગે વાપરવી. તેના માટે વીસ વર્ષના ભગીરથ પ્રયત્ન પછી મહારાણી ગુલાબકુંવરબાને મળી કેટ દ્વારા મિલકત છોડાવી તેમાંથી જામનગરની મુખ્ય હોસ્પિટલ ઈરવીન હોસ્પિટલમાં મેટું દાન આપ્યું અને વધેલી રકમમાંથી આયુર્વેદિક રિસર્ચ સેન્ટર યુનિવર્સિટી કેલેજ માટે સુપ્રસિદ્ધ ડો. પ્રાણજીવનદાસ મહેતા દ્વારા ધર્માદામાં આપી. ત્યારબાદ એકાદ વર્ષમાં તેમનું અવસાન થયું.
તેમને પાંચ પુત્રો અને બે દીકરીઓના પરિવાર છે અને તેમના પુણ્ય તથા સત્કર્મને લીધે તેમના વંશવારસે ખૂબ સુખી અને સમૃદ્ધ છે.
શ્રી શશિકાન્તભાઈ એલ. ઝવેરી ૬૫ વર્ષ પહેલાં તેમના સ્વ. પિતાશ્રી બાબુભાઈ (લાલભાઈ) મૂળચંદ ઝવેરીએ સાધારણ સ્થિતિના સમય સાથે ભાવનગરથી મુંબઈને આગણે ભાગ્ય અજમાવવા પગલાં માંડ્યાં. મુંબઈના ઝવેરી બજારમાં દલાલી કરતાં કરતાં તેઓ સિદ્ધિનાં સોપાન સર કરતા ગયા અને ઝવેરી બજારના એક અગ્રગણ્ય ઝવેરી તરીકે નામના પ્રાપ્ત કરી. ઉપરાંત સેવાભાવી બાબુભાઈએ ભાવનગરથી આવતા કેઈપણ જ્ઞાતિના દદીને પિતાના ડેાકટરે સાથેની પિછાણને લીધે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સાથે રહીને અતિ ઉપયેગી બન્યા છે. આ રીતે તેઓ આપબળે આગળ વધીને જીવન–ઈમારતનું ચણતર કરનાર શ્રી બાબુભાઈની પુત્ર-ત્રિવેણી તે શ્રી શશીકાન્તભાઈ શ્રી સૂર્યકાન્તભાઈ શ્રી મહેન્દ્રભાઈ
શ્રી શશીકાન્તભાઈ નો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૬ કુશાગ્ર બુદ્ધિથી શિક્ષણ પૂર્ણ કરીને નાની ઉંમરમાં જ વ્યવસાયમાં ઝંપલાવ્યું. પ્રારંભમાં સાઈકલ તેમ જ તેના પાસને વેપાર શરૂ કરેલ. જેને સંકલ્પ દઢ હોય, જ્યાં નીતિ-નિયમિતતા અને પ્રમાણિકતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org