________________
કo |
[ આપણું શ્રેષ્ઠીવર્યો મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પિતાની સેવાભાવના અને કાર્યશક્તિને પરિચય આપે હતે.
૧૯૨૫થી તેઓ મુંબઈમાં પિતાની વસવાટની કાયમી વ્યવસ્થા કરી. તેઓ ખૂબ જ ચુસ્ત વૈષ્ણવ હતા અને પુષ્ટિમાર્ગીય ધર્મ પ્રેમીને લીધે શ્રીનાથજીના ગેસ્વામી મહારાજશ્રી ગોરધનલાલજી તથા મુંબઈમાં ભૂલેશ્વર પર આવેલ બાલકૃષ્ણલાલજીના મેટા મંદિરના શ્રી ગેસ્વામી ગોકુલનાથજી મહારાજ જેડે બહુ જ નિકટનો સંબંધ ધરાવતા હતા.
જૂના જમાનામાં કાઠિયાવાડમાંથી મુંબઈ વસવાટ કરવા કેટલાય લેકેને આવવાની ઇચ્છા થતી પણ મુખ્ય અગવડ હતી રહેવાની અને જમવાની. આવા વખતે (કાઠિયાવાડમાંથી) જામનગર, રાજકોટથી પિતાને ખર્ચ કેટલાય લોકોને મુંબઈ લઈ આવી રહેવાની – જમવાની સગવડ પિતાને ઘરે આપતા; પછી પોતે જાતે લાગવગ લગાડી ઉદ્યોગ-વ્યાપારના વ્યવસાયમાં કામે વળગાડતા અને તેથી વેલજીભાઈનું ઘર એક ભાવભર્યો વિસામે ગણાતું. આજના કેટલાય અગ્રણીઓને મુંબઈ લાવવામાં તેમનો ફાળો છે.
મુંબઈ જામનગર વગેરે જગ્યાએ કેઈપણ જાતને જ્ઞાતિને ભેદભાવ રાખ્યા વગર મધ્યમ અને ગરીબ કુટુંબની દીકરીઓનાં લગ્ન કરવામાં તન-મન અને ધનથી ઉપયોગ કરતા. ઉપરાંત બ્રાહ્મણને શુભ પર્વ અને શ્રાવણ માસ તથા અન્ય સારી તિથિઓમાં મેટા જમણવાર કરી દક્ષિણાઓ છૂટે હાથે આપતા અને કહેવાય છે કે તેઓ કેઈ દિવસ પિતે પિતાને માટે કે ઘરને માટે કંઈ પૈસાનો વિચાર કરતા નહીં.
મુંબઈમાં અને કાઠિયાવાડમાં પોતાના પ્રભુત્વ અને સારાં કામને લીધે બહેળા વેપારી સમુદાય-મોટા માણસ અને રાજવીએ સાથે તેમની ઘણી મિત્રતા હતી, તેમાં જામસાહેબ રણજીતસિંહ, દાજીબાપુ, રતલામનરેશ, પ્રભાશંકર પટણી, મોરારજી આણંદજી તથા હરજીવન ભવાનભાઈ કોટક, મેરવાનજી, ઠક્કર સાહેબ અને એમ. પી. સાહેબ જેવા જાણીતા અમલદારોનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org