________________
અભિવાદનગ્રંથ ]
સ્વ. શ્રી વેલજી દામેાદર સામેયા
સૌરાષ્ટ્રની ધરતી પર દીવાન પર ધરાને પણ આંટી દે એવા જે ગણ્યાગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ થઈ ગયા છે એમાંના એક સ્વ. શ્રી વેલજી દામાદર હતા. તેમના જન્મ જામનગરમાં ઈ. સ. ૧૮૭૫માં થયા હતા ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી જીવનની શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારીપદે પહોંચ્યા હતા.
[ ૪૩૯
તેઓ જેટલા ધર્મપ્રેમી ને નિખાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હાઈ ભલભલાને પણ પાતાના વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરા પણ અચકાતા નહેતા. તે જેટલા નિખાલસ હતા એટલા જ પ્રમાણિક હાઈ દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા.
શેડ નરભેરામ ભગવાનજી કામદારને બાળક ન હેાવાને લીધે વેલજીભાઈ એ એક ચેરીટી ટ્રસ્ટની સ્થાપના કરાવી અને તે ટ્રસ્ટે એક મોટા વડા જામનગરમાં ખંભાળિયાના દરવાજા બહાર લઈ તેમાં રામના મંદિરનુ સ્થાપન કર્યું. તે વંડામાં એક મેાટી ધર્મશાળા બનાવી જેમાં સાધુ–સ તા વગેરેને રહેવાની સગવડ મળી શકે એવી વ્યવસ્થા કરી. જામનગર કાઠિયાવાડનું બીજું કાશી ગણાય છે. આ ટ્રસ્ટે સાધુસંતો અને જરૂરિયાતવાળાને ખપેારના ગમે તે સંખ્યામાં હાય તે સર્વને શ્રી ગાળ અને લેટના એક મેટા લાડુ કાયમ માટે આપવાની વ્યવસ્થા કરી હતી. આ ટ્રસ્ટના નિર્વાહ માટે મુંબઈમાં મકાન લેવાયાં.
જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખપદે રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા ખજાવી હતી એટલું જ નહિ, ભાવનગર ખાતે ૧૯૧૦માં મળેલી સમસ્ત લોહાણા પરિષદમાં કાર્ય વાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળા આપ્યા હતા ને ઘણાં લોકોપયાગી કાર્યો કર્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org