________________
૪૩૮ ]
[ આપણા શ્રેષ્ઠવો કરી હતી. પુત્રાને લઈ જાતે જઈ એની પ્રગતિમાં સક્રિય સાથ આપ્યા છે. શ્રી ખડાયતા સમાજની પ્રત્યેક પ્રવૃત્તિએમાં એમનુ સમગ્ર કુટુંબ રસ ધરાવે છે. એમના માટા પુત્ર શ્રી ભરતકુમારે શ્રી ખડાયતા યુવક મંડળના મંત્રી તરીકે પણ પાંચ વર્ષ સેવા આપી છે. શ્રી વૃન્દાવનદાસના એક હવે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વળ્યા હેાવાથી જ્ઞાતિસેવાનું કાય દીકરાએ સંભાળે છે.
શ્રી વૃન્દાવનદાસની પહેલેથી એક ઇચ્છા હતી કે સારિત્રથી ધંધા કરીને તેને પ્રતિષ્ઠાથી વધારવા. શરૂઆતમાં થેાડુ વેઠવુ પડે; પરંતુ ધંધામાં પ્રમાણિકતા ના છેડવી.
ખાવાના તેલમાં લુબ્રિકેટિંગ આઈલ ભેળવીને એઈલ મિલવાળા તથા બીજા વ્યાપારીઓને ખૂબ કમાતા એમણે જોયા છે. એમનુ પેાતાનુ' ડાયરેકટ ઇમ્પે હાવાથી પોતાના ઇમ્પોર્ટના માલનું ગમે તે રીતે વેચાણ કરીને જલી પૈસાદાર થઈ શકયા હેાત. અછતમાં આવી રીતે કમાવાનાં પ્રલેાભના આવે જ છે અને તે વખતે સંયમ રાખવા મુશ્કેલ બને છે. તે વખતે તેમણે એક જ વિચાર કર્યો કે “ માણસ કોઈ ને જિવાડી શકતા નથી, પેાતાના સ્વાર્થ ખાતર કેાઈ ને મારવાને તેને અધિકાર નથી. ’” ભેળસેળવાળા અછતના વખતમાં કમાયા તેથી સધ્ધર થયા અને મંદીના વખતમાં પ્રમાણિક વ્યાપારીઓને હઠાવ્યા.
ધંધામાં અપ્રમાણિકતા એટલે ભેળસેળ કે ડુપ્લીકેટ ( સારી વસ્તુના નામ પર હલકી વસ્તુ ચલાવવી )ને ધંધા કરીને કે એવી બીજી રીતે ગમે તેમ કરીને પૈસે કમાવવા, એકલા ધનની નહિ, પરંતુ સદાચારથી મેળવેલા ધનની પ્રતિષ્ઠા થવી જોઈએ. ગમે તે રીતે પૈસાદાર થયેલાનુ આજે માન થાય છે તેથી સમાજની પ્રગતિ અટકી છે. વૈભવ વધ્યા છે, પરંતુ માન-મર્યાદા ઘટવાં છે. સ્વચ્છંદતા વધી છે. સાધન શુદ્ધ નથી તેથી વિકાસ (ચારિત્ર્ય) અટકયો છે.
શ્રી વૃન્દાવનદાસે સદાચારથી ધંધા કરવાના યજ્ઞ આરભ્યા અને તેમાં સફળ થયા તેથી એમનાં સતાનાને વિશ્વાસ બેઠા. એમની પ્રણાલીને ચાલુ રાખી તેથી એમને ફાયદા જ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org