________________
૩૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી વૃંદાવનદાસ તે વખતે અભ્યાસ કરતા. શાળામાં રજા હોય ત્યારે માતા સાથે જાય, કામમાં મદદ પણ કરે. નાના બાળક એટલે કામ શું કરે? પરંતુ જનસમાજ ને શ્રમજીવીઓ સાથે છેક નાનપણથી જ સંપર્ક થયે. કામ કરવા પ્રતિ પ્રીતિ થઈ ઊંચનીચની ભાવના જાગી જ નહિ. શ્રમને મહિમા સમજાયે. પરિણામે આજે કેઈપણ કામ કરતાં એમને સંકોચ થતો નથી.
ઈ.સ. ૧૯૪૧માં જૂનની છઠ્ઠી તારીખે શ્રી વૃંદાવનદાસનું શ્રી સૂર્યકાન્તા ગોકુલદાસ મેઘજીભાઈ શાહ સાથે દાહોદમાં લગ્ન થયું. મેસર્સ ચંદુલાલ ટી. પરીખ બાસુંદીવાળાની કંપનીમાં ૬ વર્ષ બ્રાન્ચ મેનેજર તરીકે, નડિયાદવાળા શ્રી કાળીદાસ કુલાભાઈની કંપનીમાં એક્સપોર્ટ વિભાગના જનરલ મેનેજર તરીકે ચાર વર્ષ, એમ બારેક વર્ષ મુંબઈ, જલગાંવ, ધૂળિયા, સિકન્દરાબાદ ઇત્યાદિ સ્થળોએ નેકરી કર્યા બાદ ઈ.સ. ૧૯૪૭થી પિતાને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો છે. મિલ-જીન મશીનરીને ધંધે ને લુબ્રિકેટીંગ એઇલ આયાત કરવા માંડયું. ધંધામાં પણ પિતાનાં ધર્મનીતિ, પ્રમાણિકતા ને સચ્ચાઈના ઉચ્ચ સંસ્કારો જાળવી રાખ્યા. પરિણામે પ્રતિષ્ઠા વધીને ઘધે પણ જા.
ઈ.સ. ૧૫૩માં ડનલોપ રબર કંપનીએ સામેથી એજન્સીની ઓફર કરી. નફાનું પ્રમાણ ઓછું પણ વેચાણ પ્રમાણ વધારે. આજે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વી. એન. મહેતા એન્ડ કું.ને પહેલે નંબર છે.
શ્રી વૃંદાવનદાસે જાતે કેળવણમાં શક્ય છતાં આગળ પ્રગતિ ન કરી પરંતુ પિતાનાં સંતાનેને એમણે ઉચ્ચ કેળવણી આપવામાં ખાસ લક્ષ્ય આપ્યું છે. એમનાં સૌથી મોટા પુત્રી શ્રીમતી ભારતીબેન આયુર્વેદિક ડોક્ટર છે. મોટા દીકરા શ્રી ભરતકુમાર બી. એસસી. (ઓનર્સ) થઈ ડી. ટેક (પેઈનટ્સ) થયા છે. બીજા દીકરા શ્રી રાજેન્દ્રકુમાર ઈટર સાયન્સ સુધી અભ્યાસ કરી પિતાના ધંધામાં જોડાઈ ગયા છે. ત્રીજા પુત્ર શ્રી જિતેન્દ્રકુમાર ૧૯૭૫માં બી.એસ. આઈ. આઈ. ટી. (ભારત) ઈસ. ૧૯૭૭માં એમ. એ. એસ. સી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org