SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩૫ થયું. જાહેરજલાલીના ધામા ન રહ્યા. વતનની માયા છોડવી પડી. પરંતુ ત્યાં પણ ક્યાં વિશ્રામસ્થાન હતું ? શ્રી નંદલાલભાઈને ત્રણ દીકરા. શ્રી જમનાદાસ, શ્રી વૃન્દાવનદાસ ને ત્રીજા શ્રી ચતુર્ભુજ. પિતાના સ્વર્ગવાસને દિવસે એમનો જન્મ થયેલ નહિ. શ્રી જમનાદાસને એમનાં માસી મહેમદાવાદ પિતાને ત્યાં લઈ ગયાં. શ્રી વૃન્દાવન અને એમનાં માતુશ્રી મોટા કોટડા રહ્યાં. પૂર્વજોના બાકી વધેલા ખરડામાં વાસ કર્યો. હવે એ નહાતાં શ્રીમંત શ્રેણીનાં ગૃહરાણી. હવે તે એ હતાં નિરાધાર વિધવા અને આશ્રયસ્થાન હતું ગરીબની એક ઝૂંપડી. શ્રી જમનાદાસને બર્મા શેલ કુ.માં નોકરી મળ્યા પછી બધાં અમદાવાદ ને વડેદરા સ્થિર થયાં. માતાશ્રી મેઘીબહેન લાલજીભાઈની દીકરી. જન્મસ્થાન મંગલપુર, ઈ.સ. ૧૯૦૬માં લગ્ન થયું. ઈ.સ. ૧૯૧૯માં વિધવા થયાં. પછી એમને પોતાના જીવનમાં કાંઈ જ રસ રહ્યો નહિ. પરંતુ ત્રણ નાનાં બાળકોને ઉછેરવાની જવાબદારી હતી. એ મેટાં થાય ને થાળે પડે ત્યાં સુધી ગમે તેમ કરીને પણ જીવી જવાનું હતું. પરંતુ શ્રી મોંઘીબહેનને અભ્યાસ એટલે નહોતો કે શિક્ષિકા તરીકે નોકરી કરી જીવનનિર્વાહ નભાવી શકે. છતાં સકેચને તિલાંજલિ આપી મજૂરી કરીને પણ સ્વમાનથી જીવવા એમણે નિર્ણય લીધે. દળવાખાંડવાથી આરંભ કર્યો. ખેતીનાં પરચૂરણ કામે પણ કરવા માંડ્યાં. સદ્ભાગ્યે ગામવાળાઓની સહાનુભૂતિ હતી. ખેતરમાં સાથે લઈ જાય ને કામ શિખવાડે. નાનું બાળક પણ આવ્યું ને વિદાય પણ થઈ ગયું. એને શેક કરવાની એમને કુરસદ પણ નહતી. શ્રી મેંઘીબહેનને આવાં દારુણ દુઃખ સહન કરવા ઈશ્વરે શક્તિ આપી અને માતૃસ્વરૂપે તેમને વિકાસ થયો. એમણે જીવનમાં કદી કઈ પાસે હાથ લાંબો કર્યો નથી. મહેનત, મજૂરીને સ્વમાનભેર જીવન ગુજાર્યું છે. તુ-તુનાં કામ મળે. બેકારી પણ વેઠવી પડી. અલંકાર વેચે પણ દેવું ન કરે. કચ્છના સમયમાં પણ ખાનદાની જાળવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy