________________
૪૩૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
સવારે પાંચ વાગે. જન્મસ્થાન મોટા કોટડા ( મૂળ વતન ઉમરેઠ ) જ્ઞાતિ ખડાયતા વણિક.
શ્રી વૃંદાવનદાસના પિતામહે શ્રી ઝવેરચંદ વાલજી ગોવિંદજી મશહૂર વ્યાપારી. વર્ષોથી પૂર્વજોએ વસાવેલાં મોટાં મોટાં ઘરબાર નાના ભાઈ એને સાંપી દઈ સૌરાષ્ટ્રમાં જઈ વસેલા. જૂનાગઢ જિલ્લામાં અધવારૂ, મેટા કોટડા ધા સારા જમાવેલા ને પ્રતિષ્ઠા પણ સારી મેળવેલી. સમય આવ્યે વતનમાં નવા વાસ બધાવી લઈશું એમ ધારણા રાખેલી, ઈ.સ. ૧૯૦૦, વિક્રમ સંવત ૧૯૫૬માં ગુજરાતભરમાં કારમા દુષ્કાળ પડયો. છપ્પનિયા દુષ્કાળ તરીકે વર્ષો સુધી જનતાને યાદ રહી ગયેલા. કહેવાય છે કે ગુજરાતની જનતાએ પહેલી જ વાર ભી'સ અનુભવી. દેશમાં અનાજ ખરુ પણ પૈસા નહિ, પેટ ભરવા બાળકો પણ વેચવા વારે આવેલા. આ કારમા કાળમાં શ્રી ઝવેરચંદભાઈ ગરીબ લોકોની વહારે ધાયા. એમણે ભૂખ્યા લેાકેાને પૈસા આપ્યા, અનાજ અપાવ્યું, જીવન ટકાવવા સહારા આપ્યા. દસેક હજાર રૂપિયાનું રોકાણ કર્યું. ચાપડા ચીતર્યા પણ આપેલાં નાણાંની વસૂલાત કરી નહિ. મરતાં પહેલાં ચાપડા બળી નાખ્યા. દુષ્કાળના દેવાદારને પેાતાને વાસ કનડે નહિ એવી ઉદાત્ત ભાવના. એ જમાનાના દસ હજાર રૂપિયા આજે લાખે લેખાં ગણાય. પરંતુ ઝવેરચ’દ જેનું નામ, દુષ્કાળપીડિત દુઃખી જીવાનુ` પાઈ એ પાઈ હેણું માંડી વાળ્યું. કેવા ઉચ્ચ સંસ્કાર, સ્વાભાવિક રીતે જ નગરશેઠ કહેવાયા.
ધર્મ ને માનવતા ! ! !
શ્રી ઝવેરચંદભાઈના એકના એક દીકરા શ્રી નંદલાલ પિતાની પડખે જ રહેલા. ૨૧ વર્ષની વયે એમનાં શ્રીમતી મેઘીબેન સાથે લગ્ન થયાં ત્યારે મોંઘીબેન નગરશેઠનાં વહુરાણીને ગામનાં લક્ષ્મી તરીકે આદર પામેલાં. પરંતુ અણુધાયુ કિસ્મતનું પાંદડુ કર્યુ દાદાજી શ્રી ઝવેરચંદનું ઈ.સ. ૧૯૧૩માં અવસાન થયું. ધીમે ધીમે સૌરાષ્ટ્રના વ્યાપાર એસરતા ગયા. વ્યાપાર આટોપવા વખત આવ્યે ત્યાં શ્રી ન ંદલાલભાઈનુ પણ ઈ. સ. ૧૯૧૯માં અકાળ અવસાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org