SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩૩ તે તેમની પાછળ શ્રી વિજયાબહેનને ઉમદા સહગ અને ધર્મ પરની નિષ્ઠાને આભારી છે. શ્રી વિજ્યાબહેન મૂળ કચ્છ-મેરાઉના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈ એમની કર્મભૂમિ બની. નાનપણથી જ ધાર્મિક અને વૃત્તિ, પરોપકારી સ્વભાવ, નીતિપ્રિયતા અને અખૂટ વાત્સલ્યભાવને કારણે બહોળા જનસમૂહમાં ઉમદા સુવાસ પ્રસરાવી....ધન્ય એ જીવન. - ભક્તિપરાયણ આ સુશીલ નારીને સાધુસંતોની વૈયાવચ્ચ માટે પણ પ્રબળ તમન્ના અને ભાવના, અમી ઝરતી મૃદુ ભાષા, ગુપ્તદાનના પ્રખર હિમાયતી–સાચે જ તેઓ કચ્છી સમાજનું ગૌરવશાળી રત્ન ગણાય છે. ઉચ્ચ જીવનનાં રહસ્યો સમજાવવા કઠિન છે; સમજવું એ એથી કઠિન છે; અને તેવું જીવી બતાવવું એ એથીયે વધારે કઠિન છે. જ્ઞાનસંપદાને પામેલા માણસે દમ દમ સુખસાહ્યબી વચ્ચે પણ આત્માના સાચા આનંદને ક્યારેય ભૂલતા જ નથી. આશા ઉત્સાહ અને પુરુષાર્થથી રચાયેલી તેમની યશસ્વી ગૌરવગાથા ખરેખર અનેકનાં હૈયામાં માનવતાને દીપક પ્રગટાવશે. કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમના કુટુંબે યથાશક્તિ દાન આપ્યા કર્યું છે. વિજયાબહેનના ઔદાર્યને, તેમની સહિષ્ણુતાને, તેમના પરગજુ સ્વભાવને, સૂઝ-સમજવાળી તેમની દીર્ઘદ્રષ્ટિને અને તેમની ત્યાગ અને સમર્પણની ઉદાત્ત ભાવનાને મને મન વંદન કર્યા વગર નથી રહી શકતા. પ્રબળ પુણ્યોગ પ્રાપ્ત થયું હોય તેવા પરિવારમાં જ આવાં રતને પાક્તાં હોય છે. __ શ્રી વૃંદાવનદાસ નંદલાલ મહેતા શ્રી વૃંદાવનદાસ નંદલાલ મહેતાને જન્મ વિક્રમ સંવત ૧૯૭૧ માર્ગશીર્ષ કૃષ્ણ એકમ ગુરુવાર તારીખ ૩ ડિસેમ્બર ૧૯૧૪, છે. ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy