________________
આપણા શ્રેષ્ઠીવ શ્રી વિજયાબહેન ચંપકલાલ શાહ કુટુંબ શાસન અને સમાજના સૌ કોઈને પ્રેરણાદાયી બની રહે તેવું દિવ્ય અને તેજસ્વી જીવન વિજયાબેન સી. શાહના જીવનબાગમાંથી જોવા-સમજવા મળશે.
એક આદર્શ પરિવાર માટે તેમણે કંડારેલી મંગલ ધર્મની કેડી યુગ સુધી માનવસમૂહને ખરેખર અજવાળતી રહેશે.
સમાજરિતક ફાધર વાલેસે એક જગ્યાએ સાચું જ કહ્યું છે કે માણસનું ભવિષ્ય ઘડનાર એની બુદ્ધિ જ નથી પણ તેનું સમગ્ર વ્યક્તિત્વ છે.” માણસનું વ્યક્તિત્વ જ એમને સમાજમાં પિતાનું સ્થાન અપાવે છે. અને એ જ વ્યક્તિત્વ માણસને જીવનયાત્રાની દિશા બાંધી આપે છે; એ દિશામાં આગળ વધવાની પ્રેરણા અને શક્તિ આપે છે. દુઃખમાં સહનશીલતા અને સુખસાહ્યબીમાં વિવેક સુડે છે. જીવનમાં અણધારી સફળતા અપાવે છે એટલે સાચે જ જીવનધ્યેય એ માનવીનું પ્રેરક બળ છે, ચારિત્ર્યને પામે છે અને માનવીને વિરાટ વ્યક્તિત્વનું એ જ સાચું માપ છે.
- આત્મવિશ્વાસના અડગ પાયા ઉપર આદર્શો અને સંસ્કારને સમન્વય સાધી ધર્મચારિણી શ્રી વિજયાબહેને તેના વિશાળ પરિવારના સૌ સભ્યને સાથે રાખી પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત પ્રયત્નશીલ રહ્યાં અને આદર્શ સન્નારી તરીકે ધર્મ બજાવ્યું.
તીર્થયાત્રાઓ કરવી, ઘેર આવેલા મહેમાનોની પૂરી સરભરા કરાવવી, વ્યાવહારિક જવાબદારીઓ સચ્ચાઈ અને નિષ્ઠાથી પાર પાડવી, પ્રેમ અને સુમેળભર્યા વર્તાવથી કૌટુંબિક સમસ્યાઓ આસાનીથી ઉકેલવામાં એમનું પ્રદાન ઘણું જ ગૌરવ અપાવે તેવું રહ્યું. નવકારમંત્રની અગત્યતાને પણ ક્યારે ય ભૂલ્યા નહીં. જૂના અને નવા વિચારને સમન્વય સાધી વિશાળ કુટુંબને સંપ-સંગઠ્ઠનને રાહ ચી. શ્રી ચંપકભાઈ શાહના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું રહસ્ય પણ શ્રી વિજયાબહેનની પ્રેરણા જ કારણભૂત છે. શ્રી ચંપકભાઈ આજે વિવિધ સંસ્થાઓની જવાબદારી વહન કરી રહ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org