________________
૪૩૦ ].
[ આપણા શ્રેષ્ઠીવર્યો છે. પિતાના ધંધાને જ નહિ પણ અન્ય ઉદ્યોગપતિઓને પણ ખંતથી અને ઉમંગથી તેમણે પિતાનું માર્ગદર્શન આપ્યું છે.
શ્રી વિનયકુમારભાઈની જેમ તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબેન શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ મહિલા સમિતિના નવરાત્રી ઉત્સવમાં પ્રમુખસ્થાને રહ્યાં. વળી તેઓ ગુજરાતી સ્ત્રી મંડળ– માટુંગા અને કસ્તુરબા મહિલા મંડળના સભ્ય હતાં અને મહિલાએની પ્રગતિ અને ઉન્નતિના ક્ષેત્રમાં સક્રિય રસ લઈ રહ્યાં હતાં. તેઓ સ્વભાવે સૌમ્ય, મિલનસાર, વ્યવહારદક્ષ અને એક આદર્શ આર્ય સન્નારીના સંસકારોથી વિભૂષિત હતાં. વિનયકુમારભાઈના સુપુત્ર શ્રી અશોકકુમાર ઓઝા ઈન્ટર કેમર્સ અભ્યાસ કરીને પિતાશ્રીના વ્યવસાયમાં જોડાયા છે અને વ્યવસાય ઉત્તરોત્તર પાંગરત જાય તે દિશામાં પુરુષાર્થ આદરી રહ્યા છે.
શ્રી વિનયકુમારભાઈ (મુંબઈ) શ્રીમાળી બ્રાહ્મણ સંસ્કૃતિ કેન્દ્રના પ્રમુખ હતા. આગેવાન દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી વિનય કુમારભાઈ શ્રીમાળી બ્રાહ્મણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. બીજાં ઘણાં ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. આ ટ્રસ્ટ તરફથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજે તેમને
જ્ઞાતિરત્ન”ની ઉપાધિ આપી. તેઓ ઘાટકેપર બ્રાહ્મણ સમાજના પ્રશંસક, સહાયક અને મુખ્ય દાતા હતા. ઘાટકેપર બ્રાહ્મણ સમાજભવનને વાસ્તવિધિ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબેને કર્યો હતે. સેવાભાવી અગર અન્ય શુભ કાર્યમાં આ દંપતી હશથી ભાગ લેતાં હતાં. તેમની સેવા પ્રવૃત્તિથી આકર્ષાઈને લાયન્સ કલબ ઓફ ભાવનગરે ગોલ્ડન એનિવર્સરી પ્રોજેકટ પ્રસંગે શ્રી વિનયકુમારભાઈને લાયનની પદવી એનાયત કરી હતી.
મુંબઈમાં બાણગંગા પર આવેલા મહાલક્ષ્મી માતા એ શ્રીમાળી બ્રાહ્મણોનાં કુળદેવી છે. શ્રી વિનયકુમારભાઈ આ મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. વે-બ્રિજ એસોસિયેશનના પણ તેઓ પ્રમુખ હતા. સમાજભવનમાં તેમના સ્વ. પિતાશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા હેલ તથા માટુંગા ગુજરાતી સ્ત્રી-મંડળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org