________________
કર૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો વૈયાવચ્ચ, કેળવણી માટે મદદ, જીર્ણોદ્ધાર માટે મદદ, ઉપાશ્રયે માટે નિભાવ ફળે, વગેરેમાં યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખી. તીર્થધામ શેરીસા મુકામે આયંબિલની ઓળી તથા પાલીતાણામાં નવ્વાણુ માસુ ઉપધાન ઉપરાંત પાનસરમાં સં. ૨૦૧૬માં ઉજમણું કર્યું. આ ધર્મપ્રેમી શેઠશ્રી વાડીભાઈ સંવત ૨૦૨૦ના માગશર સુદિ ૧૧ને દિવસે ૭૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા.
શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ
(ઔરંગાબાદ) આલમના ઘનઘોર અંધકાર વચ્ચે પુરુષાર્થ પરિશ્રમ અને આત્મશ્રદ્ધાને દીપક પ્રગટાવી સાહસપંથે આગે ધપનારા ધુરંધરષદના યશભાગી બની શકે છે. ઔરંગાબાદમાં સાહસ અને સખ્ત પરિશ્રમથી આગે પિતા શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ગુજરાતી સમાજના કર્ણધાર છે.
કચ્છ દેશલપુર ગુંલીના કડવા પાટીદાર પરિવારમાં શ્રી વાલજીભાઈને જન્મ ઈ. સ. ૧૯૩૨ના ઓગસ્ટ માસમાં થયો હતે. અભ્યાસ પછી ઈ. સ. ૧૯૫૯માં ઔરંગાબાદ આવીને લાકડાના વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી ઉત્તરોત્તર સફળતા સાધતા રહ્યા હતા.
લાકડાના ક્ષેત્રથી આગેકૂચ કરી અનેકવિધ સાસ-કદમ ઉઠાવી આજે સનમાઇકા, લાઇવુડ, હાર્ડવેર અને કાચના વ્યાપારક્ષેત્રમાં ઝંઝાવાતી ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. એ ઉપરાંત આ ક્ષેત્રમાં વિષ્ણુ સો મિલ ચાલી રહી છે.
આ અનેકવિધ વ્યાપારક્ષેત્રની દુકાને ઉપરાંત ઈ. સ. ૧૯૭૬થી સ્વસ્તિક ટાઇલ્સ વર્કસ”ને આરંભ કર્યો હતો. એક ટાઈલ્સનું સર્જન કરવા આ કારખાનામાં પચીસ કામદારે કામ કરે છે.
સાહસ અને સ્વશક્તિથી વ્યાપાર-ઉદ્યોગ-ક્ષેત્રના વિદ્યુતવેગી વિકાસ સાથે શ્રી વાલજીભાઈ સમાજ પ્રત્યેની ભાવના એક પળ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org