________________
અભિવાદનગ્રંથ ]
૪ર૭ વિસર્યા નથી, ઔરંગાબાદના “નૂતન ગુજરાતી સમાજના ઉપપ્રમુખપદની વર્ષોની સેવા પછી ઈ.સ. ૧૯૮૪થી પ્રમુખપદ સંભાળી રહ્યા છે. ગુજરાતી સમાજ વિકાસ મંડળમાં પણ વર્ષો સુધી સેવા બજાવી છે. અખિલ ભારત ગુજરાતી સમાજના સભ્ય છે. સમાજસેવાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ખડા પગે તત્પર રહેતા આવ્યા છે.
વ્યવસાયક્ષેત્રમાં ઔરંગાબાદ ટિઅર મરચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ છે. સરકાર તરફથી સો મિલ કામદારને મિનિમમ વેજીસ સેટલમેન્ટ સમિતિમાં નિયુક્ત થયા છે. મહારાષ્ટ્ર લઘુ ઉદ્યોગ મહાસંઘની કારોબારી સમિતિના સભ્ય છે. નવરાત્રિ ઉત્સવના પ્રેરક, પ્રોત્સાહક અને સહાયક બની રહ્યા છે.
શ્રી વાડીલાલ મોહનલાલ શાહ સ્વપ્રયત્નથી વિકાસ સાધનાર અને પોતાની એક આગવી પ્રતિભા દ્વારા સતત ગતિશીલ પ્રક્રિયા સ્થાપવાના પ્રેરક અને પુરસ્કર્તા બની રહેનાર શ્રી વાડીલાલભાઈ મૂળ બોટાદના વતની. મેટ્રિક સુધીને જ અભ્યાસ પણ મુંબઈ આવીને વિકાસનાં વિઘાતક બળોને સામને કરીને તેઓશ્રી કર્તવ્યપંથે આગળ વધતા જ રહ્યા.
૧૯૪૧ના અરસામાં મુંબઈમાં તેમનું આગમન થયું. વિશ્વયુદ્ધ સમય દરમ્યાન સામાન્ય સ્થિતિ. છેડે વખત વતનમાં આવ્યા. પિતાશ્રી નોકરી કરતા હતા.
કેટલેક સંઘર્ષ અને તાણાવાણુમાંથી પસાર થયા પછી ૧૯૪૭માં મુંબઈમાં લેખંડ બજારમાં સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને ધંધાને આબાદ સ્થિતિમાં મૂક્યો અને બે પૈસા કમાયા.
ઘણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બોટાદ પ્રજા મંડળના સભ્ય તરીકે, બોટાદ વિદ્યાભારતી કારોબારીના સભ્ય તરીકે તેમની સેવાઓ જાણીતી છે. નાનામોટા ફંડફાળામાં તેમની દેણગી પ્રથમ હરોળમાં રહી છે. મોહનલાલ દીપચંદ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org