________________
૨વારા ભાઈ તો શરીરમાં થયે
અભિવાદનગ્રંથ ]
શ્રી વાડીલાલ દેવચંદ શાહ ભારતવર્ષમાં ગુજરાતનો પ્રદેશ સંસ્કાર-સાહિત્ય અને ધર્મકલા માટે મેખરે રહ્યો છે. તેમાં યે જૈન ગુજરાતી વ્યાપારીઓએ વ્યાપારમાં સિદ્ધિ અને સફળતાનાં સોપાન સર કર્યા છે.
- ગરવી ગુજરાતની ભૂમિ જીવંત તીર્થભૂમિ છે. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામ નાની વાટકડી જેવું પણ કેસર-ચંદનની વાટકડી જેવું છે. કારણ અહીંના શ્રેષ્ઠીઓએ પરોપકારનાં કેસર વહાવવામાં પિતાનો ધર્મ માન્ય છે. અહીંના સેવાભાવી સજનમાં શેઠશ્રી વાડીલાલ દેવચંદનું નામ અગ્રગણ્ય છે.
પિતાશ્રી દેવચંદભાઈ મૃદુ-સરળ સ્વભાવી અને ધર્મભીરુ જીવ હતા, વ્યાપારમાં સાહસિક હતા. ગેરીતાથી ધંધાર્થે મુંબઈ ગયા. અહીં સંવત ૧૯૪૧માં શ્રી વાડીભાઈનો જન્મ થયે. સંજોગવશાત્ શ્રી દેવચંદભાઈ પાછા વતનમાં આવ્યા અને થોડા સમયમાં સ્વર્ગવાસી બન્યા.
શ્રી વાડીભાઈ ઉપર સઘળો બેજો આવી પડ્યો. સં. ૧૯૬૦માં ટૂંકા પગારથી નકરી દ્વારા જીવનની શરૂઆત કરી સંવત ૧૯૬૮માં સ્વતંત્ર થયા ને વાસણની નાની દુકાન ખેલી. પૂર્વ પુણ્યદય અને પ્રમાણિકતાએ ચૌદ વર્ષમાં એકમાંથી ચાર દુકાન કરીને ધંધાનો ઝડપી વિકાસ સાધ્યો. લક્ષ્મી વધી એટલે ધંધાની જવાબદારી ધર્મપ્રેમી પુત્રોને સોંપી પિતે નિવૃત્ત થઈને ધર્મલક્ષ્મી પ્રાપ્ત કરવા લક્ષ કેન્દ્રિત કર્યું. શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. વ્રત, તપ અને ક્રિયાના રસિયા બન્યા. તીર્થધામ પાલીતાણા નવપદની ઓળી, મુંબઈમાં શાશ્વતી ઓળી વગેરે ઉપરાંત નવપદ એળી સિવાય વર્ધમાન તપની પચાસ એળી પૂરી કરી વતન ગેરીતા મુકામે એક જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી તેના નિભાવ માટે સારી એવી રકમ આપી. તળાજામાં અને શેરીસામાં બન્ને જગ્યાએ પોતાના હસ્તક નવી જેન ભેજનશાળાના મકાનની સ્થાપના કરાવી અને સારી એવી રકમ આપી. દુઃખી જૈન ભાઈઓને મદદ, સાધુ-સાધ્વીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org