________________
૪૨૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો ઉત્કર્ષની પ્રવૃત્તિમાં પણ પ્રથમ હરોળમાં પહોંચવાની ભાવના તેમના અંતરમાં ધબકારા મારી રહી છે. શ્રી મદ્રાસ ગુજરાતી મંડળના કારોબારી સભ્ય તરીકે સૌરાષ્ટ્ર જૈન સંઘના પ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર વેલફેર એસાયટીના ટ્રસ્ટી તરીકે, ગુજરાતી જૈન વાડીની કારોબારી સમિતિના સભ્ય તરીકે, સેવા બજાવી રહ્યા છે. એ. બી. પારેખ ગુજરાતી શાળા સમિતિના પણ સભ્ય છે. મોરબીના પૂર-પ્રલય વેળાએ સમાજ દ્વારા રૂ. ત્રણ લાખનું ભંડોળ એકત્ર કરવામાં મેખરે રહી મેરબીને સાદ સૂર્ણને પોતે જ વતનમાં હાજર થયા હતા. મેરબી પાંજરાપોળમાં પણ તેમની સેવા સાંપડી છે.
વ્યાપારક્ષેત્રના વિકાસમાં તેમની સેવાના પરિણામ સ્વરૂપ આજે મદ્રાસની ઘડિયાળ બજારમાં પંદર ગુજરાતી દુકાને ગાજે છે. સાઉથ ઈન્ડિયા વોચ ડીલર્સ એસોસિયેશનના ઈ. સ. ૧૯૮૩માં ઉપ-પ્રમુખપદે સેવા બજાવી ચૂક્યા છે.
સામાજિક ઉત્કર્ષના સેવાક્ષેત્રમાં યુવાનીકાળથી જ રંગૂનના વસવાટલાથી જ રંગાયેલા રહ્યા હતા. રંગૂન ગુજરાતી મંડળમાં પણ મોખરે રહ્યા હતા. ગુજરાતી શાળાના સંચાલનમાં સેવા અપ હતી; વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ (દેરાસર)ની સમિતિમાં પણ તેમની સેવા પ્રાપ્ત થતી હતી. મોરબી મિત્રમંડળના પ્રમુખ તરીકે, વેલફેર સોસાયટીના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી બની છે. મોરબી વેલફેર એસાયટીની સ્થાપના કરી અષાઢ સુદ ૨ના તેમાં નાના વેપારી ભાઈઓને ૧૫% વ્યાજથી લોન આપવાની વ્યવસ્થા છે. તેઓ એ. બી. પારેખ ગુજરાતી સ્કૂલના કમિટી મેમ્બર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org