________________
૪૨૨ )
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
શ્રીમતી વસુમતી રજનીકાંત મહેતા (MA.,B Ed)
કેળવણી ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી હાંસલ કરનાર શ્રીમતી વસુમતીબેન આર. મહેતાને અતિથિવિશેષ તરીકે મેળવી શકયા છીએ તે આપણા માટે આનંદ અને ગૌરવના વિષય છે.
કહેવત છે કે એક માતા સે શિક્ષકની ગરજ સારે છે' જ્યારે એ માતા શિક્ષક જ હોય તે તેમની મહત્તા બાળકોના ચારિત્ર્ય-ઘડતરમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેથી માતા અને શિક્ષક બનેલાં શ્રીમતી વસુમતીએન આપણી જ્ઞાતિનાં આદરણીય સન્નારી છે.
ટાણાના મુબઈમાં રહેતા શાંતિલાલ વિઠ્ઠલદાસ શાહુને ત્યાં જન્મેલાં વસુમતીબેને શ્રી ક.વિ.એ. જૈન હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનું શિક્ષણ લઈ એસ.એન ડી.ટી.માં બી.એ. થયાં. એ દરમ્યાન અમરેલી-નિવાસી, હાલ મુલુન્ડમાં રહેતા શ્રી રજનીકાન્ત વૃજલાલ મહેતા સાથે વસુમતીબેનનાં લગ્ન થયાં.
સ્ત્રી-શિક્ષણના હિમાયતી કુંડલાના શ્રી જગજીવન બાવચંદ દેશી કે જેઓ રજનીકાન્તભાઈના મામા થાય; તેમની પ્રેરણાથી ટાણા ગામના પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ બનેલાં શ્રી વસુબેને શિક્ષિકા તરીકે વ્યવસાય સ્વીકાર્યો અને મુલુન્ડની નવભારત નૂતન વિદ્યાલયમાં ૧૮ વષઁથી શિક્ષિકા તરીકે કાર્ય કરે છે. તેમના પતિ શ્રી રજનીભાઈના પ્રેરણાબળે સને ૧૯૭૯માં સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રના વિષયે સાથે M.A. થયાં.
માતા-પિતાએ ધાર્મિ ક શિક્ષણ-સસ્કારના વારસે પણ વસુબેનને આપેલ છે અને પ'ચપ્રતિક્રમણ, જીવન વિચારી નવતત્ત્વ સુધી ધાર્મિક અભ્યાસ કરેલ છે તથા શ્રી જૈન ધાર્મિ ક શિક્ષણ સંઘની ચાર ધારણ સુધીની પરીક્ષાઓમાં ઉત્તીણ થયાં છે.
ભરત, ગૂંથણ, વાંચન, લેખનના શાખ ધરાવતાં શિક્ષણ ક્ષેત્રમાં પડેલાં શ્રીમતી વસુમતીબેનને અતિથિવિશેષ તરીકે મેળવીને શ્રી ઘાઘારી જૈન સેવા સંઘ અત્યંત આનંદ અનુભવે છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org