________________
અભિવાદનન્ત્ર થ |
[ ૪૨૧
કુટુંબ સાથે થોડા સમય ગાળવા વિલ્સબરી ગયાં. ત્યાંથી ભારતમાં રહેતા તેમના દરેકે દરેક કુટુ'બીજના અને સંબંધીઓને યાદ કરી સ્વ. વસ'તમેને તેમના સ્વહસ્તે ૨૮ ( અઠ્ઠયાવીસ ) પત્રા લખ્યા
ત્યારબાદ રિવવાર તા. ૨૧-૫-૧૯૮૯ના રાજ વિલ્સબરીમાં એક મિત્રને ત્યાં પૂજા અને ભક્તિસંગીતના કાર્યક્રમમાં ગયાં. ધર્મોંમય વાતાવરણમાં ભગવાન મહાવીરની આરસની મૂર્તિ સામે બેસીને બધાની સાથે બે કલાક ચાલેલા ભક્તિસંગીતના કાર્ય ક્રમમાં સ્વ. વસંતબેને પણ બે ગીતા ગવરાવ્યાં અને કાર્યક્રમના અંતમાં સ્વ. વસ...તબેને પાતાના સુમધુર સ્વરમાં પ્રભુ તારું ગીત મારે ગાવું છે' તે ગીત ગાયું અને ગીત પૂર્ણ થતાં જ બાજુમાં બેઠેલી તેમની પુત્રી જયેાતિના ખેાળામાં ઢળી પડયાં. અનેક ઉપચારો કરવા છતાં તે ફરી ભાનમાં આવ્યાં જ નહીં અને મંગળવાર તા. ૨૩-૫-૧૯૮૯ના રેોજ સાંજના સાડા છ વાગે પ્રાણ છોડયા.
સ્વ. વસ ́તબેન ખૂબ જ શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનાં હતાં. અન્યને મદદરૂપ થવા હમેશાં તત્પર રહેતાં. ખૂબ જ કુટુંબવત્સલ અને પ્રેમાળ હતાં. તેમને જૈનધમ પ્રત્યે અડગ શ્રદ્ધા હતી. પ્રભુ મહાવીરની મૂર્તિ સામે બે કલાક ભક્તિરસમાં તમેળ થઈ, અંતમાં ‘પ્રભુ તારું ગીત મારે ગાવું છે' પાતાના કણ મધુર સ્વરમાં ગાઈ સહેજ પણુ અણુસાર આપ્યા વગર સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતા સાથે તેએ ચાલ્યાં ગયાં. આવું અપ્રતિમ મૃત્યુ જવલ્લે જ મળે અને જેમને આત્મા ઉચ્ચ ગતિને પામ્યા હાય તેને જ મળે છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથના છે કે સ્વ, વસતબેનના આત્માને ચિર શાંતિ આપે.
છે, ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org