________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૧૭
તેઓશ્રી પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. પ્રેરિત આય જય કલ્યાણ કેન્દ્રના સ્થાપક ટ્રસ્ટી છે. આ કેન્દ્રે પ્રાચીન અને અર્વાચીન ૩૦ જેટલા ગ્રંથાનું પ્રકાશન કરેલ છે. પૂ. ગુરુદેવા તથા પોતાનાં દાદીમાની સ્મૃતિરૂપે આ કેન્દ્રને પેાતાનું મકાન પણ ભેટ આપેલ છે, જે ગૌતમ નીતિ ગુગુસાગરસૂરિ જૈન મેઘ સ`સ્કૃતિ ભવન તરીકે પ્રસિદ્ધ છે. એમાં પૂ. સાધુ-સાધ્વીજીએ તથા વિદ્વાનાને ઉપયાગી વિશાળ જ્ઞાનભંડાર પણ છે.
તેઓ લેસ્ટર ( લ`ડન-ઇંગ્લેન્ડ )માં અધાનાર જૈન દહેરાસરના મુખ્ય પ્રણેતા અને ટ્રસ્ટી છે. આ દહેરાસરની શિલારેપણવિધિ ૧૦મી નવેમ્બર ૧૯૮૩ના થઈ ગઈ. આ ધાર્મિક કાર્ય માટે બ્રિટનની સરકારે ૯૦,૦૦૦ પૌડનું યાગદાન આપ્યુ છે.
સપ્ટેમ્બર, ૧૯૮૩માં મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી કચ્છ-માંડવી મધે પાંચમા જૈન સાહિત્ય સમારેહ શાનદાર રીતે યેાજાયા. સ`ઘે આર્થિક તેમ જ સયાજનની જવાબદારી ઉપાડી લીધી અને આ પ્રસંગે સ્મરણિકા પણ પ્રગટ થઈ. આ સમારેાહમાં ભારતભરના ૪૦ વિદ્વાનાએ પેાતાના અભ્યાસપૂર્ણ નિમ ધા રજૂ કર્યા. ભદ્રેસર તી, અંજાર ઉપરાંત પંચતીર્થીની યાત્રા પણ આમંત્રિતાને કરાવાઈ. આ સમારેહ ખૂબ સફળ રહ્યો. આ સમારેાહનું આયેાજન અને સ'ચાલન શ્રી વસનજીભાઈ માટે યશકલગી સમુ` બની રહ્યું.
તેઓશ્રી આત્મવલ્લભ સ્મારક નિધિ, દિલ્હીના ટ્રસ્ટી છે અને આ ધાર્મિક-સાધર્મિક સંસ્થાને એમનું અનુદાન ખૂબ માતબર રહ્યું છે. શ્રી આત્માનંદ જૈન સભા—મુખના પણ તેઓશ્રી કા વાહક સભ્ય છે.
તે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના ખજાનચી છે અને દિલ્હીમાં ભરાયેલ ચાવીસમા અધિવેશનના ઉદ્ઘાટક પણ હતા. તેમણે વિશ્વ કચ્છી પરિષદમાં સ્વાગત પ્રમુખ તરીકે ગણુનાપાત્ર સેવા બજાવી છે તથા કચ્છ આર્થિક વિકાસ મંડળ સાથે પણ સકળાયેલા છે. છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org