SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [૩૩ વિશ્વવિખ્યાત ગુજરાતી અર્થશાસ્ત્રીઓ છે. અશક રહેતા : રણજીતરામ વાવાભાઈ મહેતા જેવા સમર્થ સાહિત્યકારને ત્યાં તા. ૨૪-૧૦-૧૯૧૧ના રોજ જન્મેલા અશોક મહેતાની અભ્યાસકારકિદી અતિ ઉજજવળ હતી. પ્રખર અર્થશાસ્ત્રી સાથે તેઓ ઉમદા સમાજસેવક અને કુશળ રાજકારણ પણ બન્યા. સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા અને નાશિક જેલમાં સમાજવાદી પક્ષને પાયો નાખે. મજૂરવર્ગમાં અત્યંત ચાહના મેળવી. હિંદ મજદૂર સભાના સ્થાપક -મહામંત્રી તરીકે વિખ્યાત થયા. ભારત સ્વતંત્ર બન્યા પછી વિરોધ પક્ષના નેતા તરીકે એક “જાગૃત પ્રહરીની ભૂમિકા નિભાવી. મજૂરજીવનમાં સુધારા, સામાજિક સમાનતા, કોમી એખલાસ માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યા. સમાજવિદ્યાઓના આંતરરાષ્ટ્રીય એન્સાઈ કપીડિયામાં બે ભારતીય સભ્યો પૈકી એક તેઓ હતા. ઈ. સ. ૧૯૮૪માં તેઓનું અવસાન થયું. 3. ડી. ટી. લાકડાવાળા : તા. ૪-૧૦-૧૯૧૬ના રોજ સુરતમાં જન્મેલા છે. લાકડાવાળા અર્થશાસ્ત્રમાં જવલંત કારકિદી ધરાવે છે. ભારતના ઉચ્ચ કમર્શિયલ ઇકનેમિક સામયિકમાં તેમના લેખો નિયમિત માર્ગદર્શન આપતા રહે છે. તેમણે “જસ્ટિસ ઇન ટેકસેશન ઇન ઇન્ડિયા”, “ટેકસેશન એન્ડ ધ પ્લાન', “યુનિયન ટેટ ફાઈનેન્શિયલ રિલેશન્સ”, “સર્વે એફ બોમ્બે સીટી', “ ઇન્ટરનેશનલ આપેટ્સ ઓફ ઇન્ડિયન ઈકનેમિક ડેવલપમેન્ટ આદિ અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. તેઓ વિવિધ ક્ષેત્રની આર્થિક | આજના વિશેની સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈકનેમિક એન્ડ સેશ્યલ રિસર્ચ” ના ફાઉન્ડર-ડિરેકટર તરીકે સેવાઓ આપી છે. ભારતના પાંચમા નાણાપંચના સભ્ય અને ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી આજનપંચના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy