________________
મૂળ હાલ ઘણા લઈને જ આગળ વધવાનો
રાકન .
૩૨ ]
[ આપણે શ્રેષ્ઠીવર્યો ડે. પટેલે લેસર કિરણોના સંશોધનમાં ૭૦% ફાળો આપે છે. ભવિષ્યમાં નોબેલ પારિતોષિક આપવામાં આવે તે પણ નવાઈ નહીં.
* “વિશ્વગુર્જરી” પારિતોષિક પ્રાપ્ત છે. સામ પિત્રોડા. મૂળ હળવદ પાસેના ટીકરના વતની. વલ્લભવિદ્યાનગર અને વડોદરામાં શિક્ષણ લઈને અમેરિકા ગયા. ત્યાં ટેકનોલોજી ક્ષેત્રે સારી કીતિ પ્રાપ્ત કરી અને અમેરિકામાં આગળ વધવાની ઊજળી તકે હેવા છતાં સ્વદેશપ્રેમ ખાતર ભારત આવ્યા. એક રૂપિયે ટેકન પગાર સ્વીકારીને કેન્દ્રના સંદેશા વ્યવહારના સચિવ તરીકે સેવા આપે છે.
* વિશ્વવિખ્યાત કાઠિયાવાડી કલાકાર : શ્રી કાર્તિક ત્રિવેદી,
વાંકાનેર પાસેના લુણસર ગામના વતની કાતિક ત્રિવેદી અચ્છા ચિત્રકાર છે. ન્યૂર્યોકમાં ચિત્રના પ્રાધ્યાપક તરીકે કામ કરતા આ કલાકારનાં ચિત્રો અમેરિકા-ફ્રાન્સ-બ્રિટન-ભારત આદિ રાષ્ટ્રના પ્રમુખ-રાજવીઓના પેલેસમાં મૂકવામાં આવ્યાં છે. ઉપરાંત, તેઓ સારા પિયાને વાદક તરીકે પણ ખ્યાત છે.
* “લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડ-લંડનમાં સેવારત બાંધવબેલડી : શ્રી બાલુભાઈ પટેલ અને શ્રી પીયૂષભાઈ પટેલ. લંડનમાં સ્થિત આ બાંધવ બેલડીએ ભારતભરમાં અનેક સ્થાનેએ દવાખાનાં, કેળવણની સંસ્થાઓ અને અભાવગ્રસ્ત વિસ્તાર માટે પુષ્કળ ફંડ પ્રદાન કર્યું છે.
* “વિશ્વગુર્જરી એવોર્ડ વિજેતા બેરિસ્ટર ડાહ્યાભાઈ પટેલ
ખેડા પાસેના સુણાવ ગામના વતની શ્રી ડાહ્યાભાઈ વ્યવસાયે વકીલ હોવા સાથે અચ્છા કવિ-સાહિત્યકાર અને સમાજસેવક છે.
મોહનકાવ્ય” નામનું ગાંધીજી પરનું મહાકાવ્ય પ્રખ્યાત થયું છે. ઉપરાંત ૪૦ જેટલાં પુસ્તક પ્રસિદ્ધ કર્યા છે. યુગાન્ડામાંથી હિન્દીઓની હકાલપટ્ટી થઈ ત્યારે તેમણે “યુગાન્ડા ઇવેક્યુઈ એસસિયેશન”ની સ્થાપના કરી હજારો હિજરતીઓને સ્થિર કરવામાં મદદ કરી. હાલમાં તેઓ “યુગાન્ડા રિસેટલમેન્ટ એડવાઈઝરી ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
કેળવણીના બાંધવ મેલડી પટેલ અને ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org