SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા ભાવનગરમાં સાહસિક વૃત્તિથી વેપાર-વાણિજ્યને ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ફાળો આપનાર તથા ધાર્મિક આયેાજનેમાં સેવા-સખાવત આપવાની નીતિથી જૈન સમાજમાં યશ-સૌરભ પ્રસરાવનાર શ્રી લહેરૂભાઈ મહેતા મૂળ અમરેલીના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગર સ્થિર થયા. અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારામાંના તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી હંસરાજ મહેતાએ પિતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી ગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કુરાવાળાની ધીકતી વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં રહેતી હતી. તેઓ દર વર્ષે ગાયકવાડી ગામના ઈજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી દમામ અને ઠાઠમાઠ હતો. જેઠા કરાવાળાને ત્યાં તેમને એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાને વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિને સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામે ઈજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઈજારાશાહી વહીવટને અંત લાવનાર માવજી મહેતા ગાયકવાડ સરકારના સ્થંભ સમાન હતા. જેને સમાજના એક આગેવાન જાજરમાન પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારે ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે. બી.એસસી. એન્જિનિયર થયેલા શ્રી લહેરૂભાઈ આધુનિક યુગપ્રવાહ પ્રમાણેના નૂતન અભિગમ વડે ૧૯૬૨-૬૩માં ફ્રેન્ચ ફેલોશિપથી આઠ માસ માટે ફ્રાન્સના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy