________________
અભિવાદનગ્રંથ ]
[ doe કુશળતા અને દીર્ધદષ્ટિના વખાણ કરતાં કહ્યું કે ઃ રેવાબહેન ખરા અર્થમાં કાબુ મંત્રી છે. - આ ધર્માનુરાગી દંપતીને શાસનસેવાનાં કાર્યો કરવા પ્રભુ લાંબું, તંદુરસ્ત, પ્રસન્ન આયુષ્ય આપે એ જ અભ્યર્થના.
શ્રી લક્ષમીચંદ મણિલાલ શાહ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે સીયાણીના વતની, પણ વર્ષોથી ધંધાથે મુંબઈમાં સ્થિર થયા છે. વચ્ચે ઘેરો સમય મધ્ય પ્રદેશમાં રાઈસ બિલનું પણ કામ કરેલું. પણ અમલ આવતાં જ એ ત્યાંની રાઈસમિલ બંધ કરાવી અને મુંબઈમાં આગમન થયું. મુંબઈમાં બોમ્બે વુલન મિકસ પ્રા. લિ.ના સેટિંગ એજન્ટ તરીકે ૧૫ વર્ષ સફળ સંચાલન કરી હાલમાં રાજહંસ ઘરઘંટી બનાવવાને ઉદ્યોગ શરૂ કરેલ છે.
પિતાની દીર્ઘદ્રષ્ટિ અને ઉદારતાની ભાવનાથી તેઓ સૌને પ્રીતિપાત્ર બની શક્યા છે. સમાજસેવાનાં કામમાં પણ એટલી જ દિલચપીથી કામ કરી રહ્યા છે. ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ, લીંબડી નાગરિક મંડળ, આદર્શ પ્રગતિ મંડળ, મહાવીર કલ્યાણ કેન્દ્ર તેમ જ ઘાટકે પર સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે. એવી લેકે પગી કામ કરતી ૨૦ થી ૨૨ જેટલી સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. ભારતનાં મોટા ભાગનાં સ્થળને ધંધાર્થે અને યાત્રા પ્રવાસ કર્યો છે. ૧૯૭૩માં જાપાન–અમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતોવખત પ્રવાસે જઈને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું છે. હાલના ધંધાની શરૂઆત તેમણે ૧૯૭૦થી કરી, જેમાં ક્રમે ક્રમે ઠીક પ્રગતિ સાધી છે. નિયમિત સેવાપૂજા–દેવ ગુરુવંદન અને ધર્મક્રિયાઓમાં તેમનું આખું કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org