SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૦૫ શિરે આવી પડેલી એટલે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ધંધામાં આગળ વધ્યા. - ધંધામાં સફળતા મળી તેને યશ તેઓ કુદરતની કૃપાને જ ગણે છે. મિલનસાર સ્વભાવને ધાર્મિક અને વૃત્તિવાળા શ્રી રામજીભાઈ પંદરેક વ્યક્તિના સંયુક્ત કુટુંબમાં રહે છે. કુશળ કારીગરમાં તેમની ગણના થાય છે. શ્રી રામજીભાઈ મેઘજીભાઈ ગુઢકા છેલ્લાં પાંત્રીસ વર્ષથી અવિરત સેવા તેઓશ્રી હાલારી વીશા ઓશવાળ સમાજને આપી રહ્યા છે. શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજની અદ્યતન મહાજનવાડીના ઓશવાળ ભુવન તથા સભાગૃહના બાંધકામ સમિતિના મંત્રી તરીકે તથા સમિતિના પ્રમુખ તરીકે આ કાર્યો પૂર્ણ કર્યા છે અને ઘણાં વર્ષો સુધી સમાજના પ્રમુખ તથા ટ્રસ્ટીસ્થાને હતા. ઓશવાળ શિક્ષણ અને રાહતસંઘ (ભારત)ની સ્થાપનાનાં ચૌદ વર્ષ દરમ્યાન કુલ સાત વર્ષ પ્રમુખ તરીકેની સુંદર સેવા આપી છે. ભીવંડીમાં તથા જામનગરમાં હાઈસ્કૂલ બાંધવાની શરૂઆત પુરજોશથી તેમના નેતૃત્વ હેઠળ થઈ છે. શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના ઘણાં વર્ષોથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે અતિ સુંદર સેવા કરી રહ્યા છે. ઘાટકેપરમાં (સારા ય મહારાષ્ટ્ર રાજ્યમાં) પ્રથમ કક્ષાના શ્રી મુનિસુવ્રત જેન દેરાસરના નિર્માણ કાર્ય તથા નૂતન ઉપાશ્રયના બાંધકામ તેમના નેજા હેઠળ પૂર્ણ થયાં છે. ઈ. સ. ૧૯૬૭ થી ૧૯૮૬ સુધીના સમયમાં શ્રીસંઘની વધુ ને વધુ પ્રગતિમાં સુંદર યોગદાન આપી શક્યા છે. આધ્યાત્મિક જીવન જીવવું એ તેમને આદર્શ છે. છે. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy