________________
૪૦૪ ]
| આપણા શ્રેષ્ઠીવર્યો પ્રવૃત્તિઓમાં, કપોળ જ્ઞાતિની કુળદેવી સામુદ્રી માતાની મૂર્તિની પ્રતિષ્ઠામાં, કપાળ જ્ઞાતિના ગેર કાળિયા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ત્રાપજમાં હાઈસ્કૂલ માટે, તેમ જ અન્ય એવી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે તેઓએ યથેચ્છ દાનની રકમ આપી અને એ રીતે પિતા તરફથી મળેલા વારસાને દીપાવી સંપત્તિને સદ્વ્યય કરી જાણે છે. ત્રાપજ ગ્રામ પંચાયતે ૧૯૭૪ની ૧૫મી ઓગસ્ટે તેમની સામાજિક સેવાઓને બિરદાવી જાહેર સન્માન કર્યું. તેમના પુત્ર કીસનદાસ પણ પિતાને પગલે ચાલી જ્ઞાતિની અને બીજી લોકહિતની પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. ત્રાપજ હાઈસ્કૂલમાં બાંધકામમાં સારો ફાળે કરી આપે. બુક-એન્કની પ્રવૃત્તિમાં રામદાસ પ્રેમજી કાચરીયા બુક બેન્કના પિતે ટ્રસ્ટી તરીકે પ્રાથમિક શાળામાં રૂા. ૧૦,૦૦૦ બુક બેન્ક માટે કમળાબેન પાસેથી આપ્યા. બહેરામૂગા શાળામાં પણ સારી રકમ આપેલી છે.
શ્રી રામજીભાઈ બી. લુહાર ભાવનગરના વતની છે અને કાંઈ પણ અભ્યાસ કર્યા વગર પિતાની સૂઝબૂઝથી ફર્નિચર બનાવવાના ધંધામાં ઘણી મોટી પ્રગતિ સાધી શક્યા છે, જે તેમની શક્તિને પરિચય કરાવે છે.
બચપણથી જ શ્રી રામજીભાઈને કાંઈક નવું શીખવાને, જાણવા અને કાંઈક કરી બતાવવાનો શોખ હતો. આશા-ઉત્સાહ સાથે ૧૯૩૧થી ધંધામાં ઝંપલાવ્યું, જેમનું ફર્નિચર આજે ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને અન્ય સ્થળોએ પહોંચ્યું છે.
સ્વધર્મ પ્રત્યે અભિરુચિ રાખનારા બની શકે તે કુટુંબની અને જ્ઞાતિની સેવા કરવામાં અને શક્ય હોય તે સામાજિક સંસ્થાઓમાં પિતાને ફૂલ-પાંદડી સહકાર આપવામાં તેમણે ઉમળકે બતાવ્યું છે. તેમને ત્યાંથી કદી કેઈ નિરાશ થઈને પાછું ગયું નથી. ધંધાથે દેશાટન કર્યું છે. નાનાંમોટાં તીર્થધામની યાત્રા કરી છે. નાની ઉંમરમાં માતા-પિતા ગુજરી જતાં કૌટુંબિક જવાબદારીઓ તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org