________________
૯૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
શ્રી રમણીકલાલ જયચંદભાઈ દલાલ
શ્રી રમણીકલાલ જયચંદભાઈ દલાલના જન્મ તારીખ ૧૪ એકૅટાબર ૧૯૦૧ના રાજ કપડવંજ તાલુકાના ગામ ખડાલ પાસે તેમના મોસાળ કાકખડ મુકામે થયા હતા. પ્રાથમિક અભ્યાસ નડિયાદ મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને માધ્યમિક અભ્યાસ ગવમેન્ટ હાઈસ્કૂલ, નડિયાદ તથા ભરૂચમાં કર્યાં. ઈ. સ. ૧૯૧૧ થી ૧૯૧૮ સુધી બધી જ પરીક્ષાએ પ્રથમ શ્રેણીમાં પાસ કરી. ડ્રોઇંગની તથા હાઈસ્કૂલ સ્કોલરશિપની પરીક્ષાએ પણ પાસ કરી. ઈ. સ. ૧૯૨૨માં ખડાયતા જ્ઞાતિની પાંચમી પરિષદ વખતે યેાજાયેલ કલા-પ્રદર્શનમાં રૌપ્યચદ્રક મેળવેલો. ઈ. સ. ૧૯૧૯ થી ૧૯૨૩ દરમ્યાન ગુજરાત કેલેજમાં અભ્યાસ કરી બી.એ. ( આન) ઇતિહાસ અને અર્થ શાસ્ત્ર વિષય લઈ બીજા વર્ગમાં પાસ થયા. ગુજરાત કેાલેજ મેગેઝીનમાં તેમનાં કાવ્યેા, વાર્તાઓ પ્રગટ થયેલાં. ઈ. સ. ૧૯૨૮માં એલએલ.બી. થયા. ઈ. સ. ૧૯૨૯ના એપ્રિલથી અમદાવાદની ડિસ્ટ્રિકટ કોર્ટમાં વકીલાત શરૂ કરી.
સાહિત્ય-પ્રવૃત્તિની શરૂઆત પણ તે સમયે થઈ જે જીવનના અંત સુધી ચાલી. આજ સુધીમાં સિત્તેર પુસ્તકો પ્રગટ થયેલાં છે અને બીજા એટલાં જ પ્રગટ થવાની વાટ જુએ છે—જેમાં ભારતના જ્યોતિધરા, એશિયાના જ્યોતિધરા, વર્તમાન વિશ્વના વિધાતા; રગભૂમિના જયોતિધરા, કિવ-લેખકો, કલાકારા, ભારતીય સિનેમાના ઇતિહાસ; શ્રીહર્ષોંનાં નાટકા, ખડાયતા જ્ઞાતિના ઇતિહાસ, વગેરે મુખ્ય છે. પ્રગટ થયેલા ગ્રંથેામાં નાગાનંદ, ગુલછડી, જંગીસખાન, કમાલ, પરિમલ, જલસુ'દરી, ચંપાકલી, સ્વપ્નસુ દરી, રાજકીય પ્રહસના, રવીન્દ્રનાથનાં નાટકો, બાલાદિત્ય, સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ અને નવલિકાએ લેાકપ્રિય થયાં છે. અંગ્રેજી અને ગુજરાતીમાં કાયદા વિષયક પુસ્તક પણ પ્રગટ કરેલાં છે. કવિ-ચિત્રકાર ફૂલચંદભાઈ શાહના સ્મારકનું સ’ચાલન કરી તેમનાં ભજવાયેલાં સાત અને અપ્રગટ સૂરજમણ નાટકો; પચ્ચીસ આખ્યાના, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામ, શ્રીમદ્ ભગવદ્ગીતા, ભજના, રાગરૂપાવલી વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org