________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૦૭ વેપારક્ષેત્રે એમને સહેજ વધુ પરિચય મેળવીએ. ગુજરાતમહારાષ્ટ્ર લેહાણ જ્ઞાતિજન તરીકે સહુ પ્રથમ મશીન ટુલ્સ ને લેથ બનાવવાનો યશ એમને ફાળે છે. તેઓના શરદ બ્રાન્ડ લેશે બહુ સારી નામના કાઢી છે. સને ૧૯૯૯માં રિબંદરમાં સૌરાષ્ટ્રને સહુ પ્રથમ બેંકિંગ ઇન્ડસ્ટ્રીયલ ફેર થયેલો ત્યારે બેન્ક ઓફ ઈન્ડિયા
જિત આ ફેરમાં એમની ગુણવત્તાની ખૂબ પ્રશંસા થયેલ. અને તેમના લેથ ખરીદનારને બેન્ક ૧૦૦% લોન મંજૂર રાખતી. તેમના વિશિષ્ટ પ્રસંગમાં ૧૧મી ઓગસ્ટ, શનિવારના એ ઢળતા બપોરે સૌરાષ્ટ્ર જ્યારે અભૂતપૂર્વ મેઘતાંડવ અને જળ હોનારત વચ્ચે તમ્મર ખાઈ રહ્યું હતું તે વખતે રાજકોટથી ૬૫ કિ.મી. દૂર સૌરાષ્ટ્રના પિરીસ સમા રળિયામણું મોરબી શહેર પર મોતને પંજે ફરી વળતું હોય તેમ મચ્છુ-૨ બંધની માટીની દીવાલમાં ૨૫૦૦ ફૂટનું ગાબડું પડતાં સવા બે માઈલ લાંબા બંધમાં રહેલ પાણું દરિયા જેવા લોઢ ઉછાળતાં જાણે કે સાક્ષાત્ યમદૂત બનીને શહેર પર ફરી વળ્યાં. માત્ર ગણતરીની મિનિટોમાં જ મોરબીને સમશાનભૂમિમાં ફેરવી નાંખ્યું. માઝા મૂકેલ સાગરની જેમ શહેરને લપેટી લેનાર આ જલપ્રલયે ભાગ્યે જ કોઈ કુટુંબને કોરું મૂક્યું હશે. માત્ર દશ જ મિનિટમાં સારાયે શહેરમાં ફૂટથી માંડીને ઓગણત્રીસ ફૂટ સુધીનાં પાણી ભરાઈ ગયાં. પરિણામે રહેણાંક વિસ્તાર, ઉદ્યોગો અને વેપારનાં કેન્દ્રો જાણે કે ગંજીપાના મહેલની જેમ ચૂંથાઈ ગયાં. શહેરને તમામ જીવનવ્યવહાર ખોરવાઈ ગયે. મોરબી દુનિયાથી જુદું પડી ગયું. મેરબીની શેરીએ ધોળે દિવસે પણ ભયંકર ભાસવા લાગી. ઠેર ઠેર પડેલા અને ટીંગાતા માનવ મૃતદેહે વાતાવરણને બિહામણું બનાવતા હતા. કેટલાયે મૃતદેહા પગ નીચે કચડાયા અને જળનું કફન ઓઢી સેંકડે પઢી ગયા.
ભારતીય સંસ્કૃતિને પાયે ધર્મ છે અને બધા ધર્મોમાં શ્રેષ્ઠ માનવધર્મ છે, એમ સંતવાણી કહે છે. મોરબીના રાહતકાર્ય પાછળ શ્રી રમણીકભાઈએ જાતે રસ લઈને બહુ જ માતબર રકમની દાનગંગા વહેતી કરેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org