________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૯૫ ફોરવર્ડ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, અમરેલી જિલ્લા જનતા પક્ષના પ્રમુખ તરીકે, ગુજરાત સ્ટેટ ઇન્ડિયન કે. એ. બેન્કના ડિરેકટર તરીકે, અમરેલી છે. મૂર્તિપૂજક સંઘના સેક્રેટરી તરીકે, ઘણાં વર્ષોથી ઘણું ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપી. તેમના પિતાશ્રીએ અમરેલી દેરાસરની ઘણી મિલકત વધારી જીવ્યા ત્યાં સુધી ટ્રસ્ટી તરીકે કામ કર્યું. વાવાઝોડાં અને પૂરની પરિસ્થિતિમાં મકાન અને ધંધાનાં સાધનો માટે સક્રિય સહાય અને મદદ કરી.
શ્રી રમણીકલાલ સેજપાલ જન્મવું ભણવું ને કમાવું; સંસાર માંડવો ને મૃત્યુમાં હતા–હોતા થઈ જવું એ કદાચ જીવન હશે પણ સાચું જીવન નથી. ખરું ધાર્મિક જીવન તે છે બીજા માટે કંઈક કરી છૂટવામાં.
ધન હોય તે વહેંચીને ખાવાની વૃત્તિ પણ આવું કરવું બધા માટે અશક્ય છે, એ તે કેઈ રમણીકલાલ સેજપાલ જ કરી શકે. આપીને રાજી થાય એ સદ્ભાવ જ જાણે રમણીકલાલ સેજપાલને સ્વભાવ છે. શુભ કર્મથી એમણે પિતાનું જ નહિ પણ પિતાના પૂ. દાદા સવ. શ્રી હરજીભાઈ નથુભાઈ સેજપાલનું નામ પણ કુળમાં ઉજાળ્યું છે. કરાંચીમાં જન્મી, દેશના ભાગલા પડતાં બચપણથી જ ૧૯૪૭થી રમણીકલાલભાઈ રાજકેટમાં વસે છે. તેઓ મૂળ આમરણબેલાના. મિત્રએ સ્નેહથી આપેલું એમનું હુલામણું નામ “લાલભાઈ".
કોલેજ સુધીને અભ્યાસ ધગશ ને ખંતથી કર્યો. સાથે મશીન ટુલ્સની ફેકટરી નાખનાર સહુથી પ્રથમ ગુજરાતી તરીકેનું, શરદ એન્જિ. વર્કસ, વસંત એન્જિ. સ્ટેર્સ જેવી સારી કંપનીઓના ભાગીદાર હોવાનું ગૌરવ ધરાવે છે. એ ઉપરાંત પણ એ અનેક વ્યવસાય સાથે સઘન રીતે સંકળાયેલા છે, જેથી કરી વેપારી આલમમાં એમને સહુ કેઈ ઓળખે.
અનેક સુપ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે એમણે ઘરેબો બાંધ્યું છે. રાજકેટ મશીનરી ડીલર્સ એસેસિયેશનમાં તેઓ સતત ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org